વિશ્વભરમાં ફેલાયેલો કોરોના વાયરસ ભારતમાં મે મહિના બાદ નબળો પડી શકે છે. એક સ્ટડી મુજબ મે મહિનાના મધ્ય સુધી ભારતમાં કોરોના તેજીથી વધશે અને લોકોને પોતાની ચપેટમાં લેશે. અને ત્રીજા સપ્તાહમાં કોરોનાના મામલાઓ ટોપ લેવલ પર પહોંચી શકે છે. પરંતુ ત્યારબાદ જો લૉકડાઉન સહિતના નિયમોનું પાલન કર્યું. તો કોરોના વાયરસના કેસ ઘટી શકે છે. આ સ્ટડી 8 રાજ્યો અને દેશના ટોપ 3 હૉટસ્પોટથી મેળવેલા ડેટાના આધારે કરાયો છે. જેમાં કેન્દ્ર સરકારના આંકડા, સરકારી બુલેટિન અને સ્વાસ્થ્ય મંત્રાલયના અપડેટનો ઉપયોગ કરાયો છે. અને વિદેશના ટ્રેન્ડને પણ ધ્યાનમાં રખાયું છે.
કોરોના વાયરસનો કહેર
મે મહિનાના અંતમાં મળી શકે છે રાહત
મેના મધ્ય સુધી વ્યાપક રહેશે કોરોનાનો કહેર
જો કે રિપોર્ટના તથ્યમાં પણ બદલાવ આવી શકે છે. કારણ કે રોજ ડેટા બદલાઇ રહ્યો છે. પ્રોડિવિટીના ડેટા એન્ડ એનાલિસિસ વિંગના ડિરેક્ટર ધ્રુવજ્યોતિ ઘોષે કહ્યું કે અમે સ્ટડીમાં અપનાવેલા મોડલોને એકબીજા સાથે મેળવીને આંકડા રજૂ કર્યાં છે. સ્ટડીમાં અમે ત્રણ મોડલોને અપનાવ્યા છે. જેમાં SEIR મોડલ અને ટાઇમ સિરિઝ મોડલ, જેમાં SEIR એટલે કે ખુબ જ સંવેદનશીલ કેસ, સામે આવી ચૂકેલા કેસ, સંક્રમણ ફેલાવનારા કેસ અને સાજા થઇ ચૂકેલા કેસ.
કોરોનાની શક્યતાઓનો અંદાજ કાઢવામાં આવ્યો
ભારતમાં કોરોનાની કેટલીક સંભાવનાઓનો અંદાજ કાઢવામાં આવ્યો છે, તેમાંથી આ અભ્યાસ ગ્લોબલ કન્સલ્ટિંગ ફર્મ એક્ટિવિટી એન્ડ ટાઇમ્સ નેટવર્ક દ્વારા કરવામાં આવ્યો છે. 16 એપ્રિલના આ અહેવાલમાં દેશમાં કોરોના રોગ કઈ ગતિથી ફેલાશે, તે ક્યારે ઉચ્ચતમ સ્તર પર પહોંચશે તેની ખાતરી કરવામાં આવી હતી.
આ રીતે ઘટાડી શકાશે કોરોનાનું પ્રમાણ
કોરોનાનું સંક્રમણ અને સંકટ ઘટાડવા માટે લૉકડાઉન અને ઘરમાં રહો, સુરક્ષિત રહો જેવા નિયમોનું પાલન જરૂરી છે. સરકારે 21 દિવસ બાદ ફરીથી જે લૉકડાઉન 2.0 લાવ્યું છે તેનું કડક રીતે પાલન કરવામાં આવે તો જ આ સતત વધી રહેલા કેસમાંથી રાહત મળી શકે. માટે જરૂરી છે કે તમે લૉકડાઉન અને સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરો.