આસામની અકે મહિલા ડૉક્ટરને એક જ સમયમાં કોરોના વાયરસના બે અલગ અલગ વેરિયન્ટ જોવા મળ્યા અને દેશમાં આ પહેલો કેસ છે.
મહિલા ડૉક્ટરમાં એક જ કોરોના વાયરસના બે અલગ અલગ વેરિયન્ટ
ભારતમાં આ પ્રકારનો પહેલો કેસ
ભારતમાં આ પ્રકારનો પહેલો કેસવસ્તીમાં 67.6 ટકા લોકોમાં કોરોનાની એન્ટિબોડી મળી
મહિલા ડૉક્ટરમાં એક જ કોરોના વાયરસના બે અલગ અલગ વેરિયન્ટ
આસામની અકે મહિલા ડૉક્ટરને એક જ સમયમાં કોરોના વાયરસના બે અલગ અલગ વેરિયન્ટ જોવા મળ્યા પણ દેશમાં આ પહેલો કેસ છે. ICMRના વૈજ્ઞાનિક ડૉક્ટર બી. બોરકાકોટીએ આ જાણકારી આપી હતી. કોરોના વેક્સિનના બંને ડોઝ લીધા બાદ પણ આ મહિલા ડૉક્ટરમાં આલ્ફા અને ડેલ્ટા બંને વેરિયન્ટનું સંક્રમણ જોવા મળ્યું. RMRCની પ્રયોગશાળામાં મે મહિનામાં આ સંક્રમણની વાત સામે આવી હતી.
ભારતમાં આ પ્રકારનો પહેલો કેસ
ICMRના કહ્યા મુજબ બે બે વેરિયન્ટના સંક્રમણના કેસ બ્રિટન, બ્રાઝિલ અને પોર્ટુગલમાં પણ સામે આવ્યા હતા. પણ ભારતમાં આ પ્રકારના કેસ સામે આવ્યા નથી. આ જે કેસ સામે આવ્યો તે ભારતમાં પહેલો કેસ ગણી શકાય. રસીના બંને ડોઝ લીધા બાદ મહિલા ડૉક્ટર અને તેના પતિમાં આલ્ફા વેરિયન્ટનું સંક્રમણ જોવા મળ્યું હતું. તે બંને કોરોના વોર્ડમાં સારવાર લઈ રહ્યા હતા. ત્યારબાદ જ્યારે ફરી કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો ત્યારે મહિલા ડૉક્ટરમાં બીજો ડેલ્ટા વેરિયન્ટ પણ જોવા મળ્યો. તેમણે કહ્યું કે મહિલા ડૉક્ટરને લક્ષણો જેમ કે ગળામાં ખરાશ, શરીરમાં દુખાવો અને અપૂરતી ઊંઘ જેવા સામાન્ય લક્ષણો જોવા મળ્યા અને તેમને ફરી હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી ન્હોતી.
વસ્તીમાં 67.6 ટકા લોકોમાં કોરોનાની એન્ટિબોડી મળી
આ બધા વચ્ચે સરકારે મંગળવારે કહ્યું કે એક રાષ્ટ્રવ્યાપી સર્વે અનુસાર હજી પણ 40 કરોડ લોકો પર હજી પણ કોરોના વાયરસના સંક્રમણનો ખતરો વ્યાપેલો છે, જ્યારે 6 વર્ષથી વધુના લોકોમાં ભારતની વસ્તીમાં 67.6 ટકા લોકોમાં કોરોનાની એન્ટિબોડી મળી હતી. અધિકારીનું કહેવું છે કે એક તૃતીયાંશ વસ્તીમાં એન્ટિબોડી છે જ નહીં. એનો અર્થએ છે કે ભારતમાં 40 કરોડ લોકોમાં હજુ પણ કોરોના વાયરસનો ખતરો છે.