દેશમાં કોરોનાની બીજી લહેરે રાહતનો શ્વાસ લીધો છે ત્યારે સામાન્ય લક્ષણ વાળા દર્દીઓએ પણ સાવધાની રાખવાની જરૂર છે. 14 દિવસના રિકવરી પીરિયડમાં 5-10 દિવસનો સમય મહત્વનો છે.
કોરોનાની બીજી લહેરનો આતંક
14 દિવસના રિકવરીના સમયમાં 5-10 દિવસ મહત્વના
આ સમયે સંક્રમણ દેખાડે છે અસલી રૂપ
લક્ષણો પર રાખો નજર
કોરોના વાયરસના ખાસ કરીને સામાન્ય લક્ષણો હોય તો તેને સરળતાથી કંટ્રોલ કરી શકાય છે. ડોક્ટર્સ કહે છે કે શરીરમાં 5મા દિવસથી તેના લક્ષણો મોનિટર કરવાની અને તેને સમજવાની જરૂર છે. જો કોઈ રિકવરી પીરિયડમાં મિડલમાં હોય અને પોઝિટિવ આવે છે તો ધ્યાન રાખવાની જરૂર વધે છે.
જેવા લક્ષણો તેવી રિકવરી
ઈન્ફેક્શનની શરૂઆતમાં આ લક્ષણો ભ્રમ જન્માવે છે. આ સમયે સામાન્ય લક્ષણો જોવા મળે છે કેટલાકમાં લક્ષણો દેખાતા નથી. જો કે 5-10 દિવસની વચ્ચે બોડીમાં ઇન્ફેક્શનની ગંભીરતાને સમજી શકાય છે.
શું કહે છે એક્સપર્ટ
એક્સપર્ટના આધારે 5-10 દિવસનો આઈસોલેશન પીરિયડ એ જટિલતાને સામે લાવે છે જે કોરોના બાદ તમારે અનુભવવી પડે છે. સાથે ઈન્ફેક્શનની ગંભીરતાનો પણ સંકેત આપે છે. જેને તરત સમજી લેવો જરૂરી છે. તેમનું કહેવું છે કે પહેલા દિવસ બાદ આ લક્ષણો દરેક વ્યક્તિને અલગ અલગ રીતે પ્રભાવિત કરે છે. વાયરસ ઈન્ફેક્શન જેવી ફિલિંગ આવે છે. બીજી લહેરમાં જોવા મળ્યું છે કે ઈન્ફેક્શનથી લડવા માટે ઈમ્યુન શરીરમાં જે એન્ટીબોડી બનાવે છે તેને ઓવર સ્ટિમ્યુલેટેડ થવાથી તબિયત બગડે છે. આ પ્રક્રિયા 6-7 દિવસ બાદ શરૂ થાય છે. આ સમયે કેટલાકની સ્થિતિ સુધરવાનું પણ શરૂ થાય છે. જો રોગની ગંભઈરતા વધારે હોય તો દર્દીને હોસ્પિટલમાં એડમિટ કરવાની વોર્નિંગ સાઈન વધે છે.
આ ગંભીર લક્ષણો મળે છે જોવા
ઓક્સીજન સેચુરેશન લેવલ ઘટવું, બેભાન થવું, તાલ આવવો, રેસ્પિરેટરી સિસ્ટમમાં તકલીફ આવવી. બેચેની, ભારેપણું, શ્વાસમાં તકલીફ જોવા મળે છે. ઈન્ફેક્શનના આ ચરણમાં અનેક વાર દર્દીને હાઈપોક્સિયા સામે લડવું પડે છે. જેમાં કોઈ લક્ષણ વિના જ ઓક્સીજન લેવલ ઘટે છે.
બીજા અઠવાડિયે કોને રહે છે વધારે ખતરો
બોડીમાં ઈન્ફેક્શનની ગંભીરતા પહેલા કરતા વધે છે કે નહીં તે ઉંમર પર પણ આધાર રાખે છે. ડોક્ટર્સ કહે છે કે ડાયાબિટિસ, હાઈ કોલેસ્ટ્રોલ, સ્થૂળતા જેવી બીમારીઓ સહિત ખરાબ ઈમ્યુનિટી વાળા લોકોને ગંભીર રીતે બીમાર થવાની શક્યતા વધે છે. શરૂઆતમાં ફેફસાના ઇન્ફેક્શનને લઈને યુવાઓએ સાવધાન રહેવાની જરૂર છે. એક્સ રે. ચેસ્ટ સ્કેન પર અને બ્લડ રિપોર્ટ પર ધ્યાન આપવાની જરૂર છે.