જોકે, કોવિડ -19 ની રસી તૈયાર થવામાં હજું વાર છે. પરંતુ કેન્દ્ર સરકારે આ રસી ઉપલબ્ધ થયા બાદની યોજનાઓ અને તૈયારીઓનો મુસદ્દો તૈયાર કરવાનું શરૂ કર્યું છે. મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે એકવાર રસી મળે પછી પ્રથમ કોરોના યોદ્ધાઓને રસી આપવામાં આવશે.
વેક્સીન સૌથી પહેલા કોરોના વોરિયર્સને અપાશે
રસી પહેલા તેને ક્યાં અને કેવી રીતે વાપરવી તેનો મુસદ્દો તૈયાર
સરકાર રસી માટે 4 સ્તર પર કામ કરશે
તેમણે અધિકારીઓને રસીકરણની યોજના અને તૈયારીઓની યોજના તૈયાર કરવા ચાર સૂચના આપાઈ છે. પીએમ મોદીએ અધિકારીઓને પ્રથમ સંવેદનશીલ જૂથો જેવા કે ડોકટરો, નર્સો, આરોગ્ય કર્મચારીઓ, અન્ય ફ્રન્ટલાઈન કોરોના લડવૈયાઓની વિગતો તૈયાર કરવા જણાવ્યું છે. જેથી તેઓને પહેલા રસી અપાય.
વડા પ્રધાને રસીકરણની યોજનાને 'કોઈને પણ, ક્યાંય પણ' ના લક્ષ્યાંક હેઠળ તૈયાર કરવા જણાવ્યું હતુ. જેથી રસી કોઈ પણ ડોમિસાઈલના અવરોધ વિના બધાને મળી શકે. ત્રીજા નિર્દેશમાં તેમણે રસીકરણને સસ્તા અને સુલભ બનાવવાનો નિર્દેશ આપ્યો. જ્યારે ચોથા નિર્દેશમાં વડા પ્રધાને રસી ઉત્પાદનથી લઈને તેની ઉપલબ્ધતા સુધીની સમગ્ર પ્રક્રિયાના ટેક્નિકલ ઉપયોગ દ્વારા રિઅલ ટાઇમ મોનિટરિંગની તૈયારી કરવા જણાવ્યું હતુ. બેઠકમાં રસી વિકાસના પ્રયત્નોની વર્તમાન સ્થિતિની સમીક્ષા પણ કરવામાં આવી હતી.