વધુ એક કોરોના વોરિયર્સે આપઘાત કરી લીધો છે. વડોદરામાં ગોત્રી હોસ્પિટલની નર્સે આપઘાત કરી લીધો છે.
રાજ્યમાં વધુ એક કોરોના વોરિયર્સનો આપઘાત
વડોદરામાં ગોત્રી હોસ્પિટલની નર્સનો આપઘાત
ભેદી સંજોગોમાં ગળે ફાંસો ખાઇ કર્યો આપઘાત
વડોદરામાં ગોત્રી હોસ્પિટલમાં નર્સે ગળેફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું છે.
પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર ગોત્રી હોસ્પિટલમાં કામ કરતી નર્સ આરતી ત્રિવેદીએ અગમ્ય કારણોસર આપઘાત કરી લીધો છે. ભેદી સંજોગોમાં આપઘાત કરી લેતા હજુ સુધી આત્મહત્યાનું કારણ જાણી શકાયું નથી. આરતી નાઈટ ડ્યુટી પરથી પરત ફરી હતી અને પછી તેણે આ હીચકારુ કૃત્ય કર્યું હતુ.
પોલીસે ફોન ડેટા મેળવીને હાલના તબક્કે તપાસ શરૂ કરી છે. પરિવારજનો અને હોસ્પિટલ સ્ટાફની પણ પૂછપરછ કરવામાં આવશે.
ઉઠી રહ્યા છે પ્રશ્નો
કોરોનો વોરિયર્સના આપઘાત અંગે જાતભાતના પ્રશ્નો ઉઠી રહ્યા છે. કે હસતા રમતા આ નર્સે આપઘાત કેમ વહોર્યો હશે?