અમદાવાદમાં જેવી રીતે કોરોનાના કેસો વધ્યા છે, તેને લઈને હાલ પણ રાત્રી કર્ફ્યુ ચાલુ છે. જોકે પોલીસ હાલ પણ ખડેપગે કામગીરી કરી રહી છે. પણ કમનસીબે હવે કોરોના સંક્રમિત પોલીસ કર્મી કેસ વધી રહ્યા છે. બીજી બાજુ પોલીસે માસ્ક નહિ પહેરનાર 14 કરોડ રૂપિયા દંડ વસુલ્યો છે. તો લૉકડાઉન અને કર્ફ્યુ દરમિયાન ગરીબોને ભોજન પણ પહોંચાડ્યું.
કોરોના વોરિર્યસ તરીકે પોલીસની સેવાને સલામ
976 પોલીસકર્મી કોરોના સંક્રમિત
11 પોલીસ કર્મચારીઓ જીવ ગુમાવ્યો
14 કરોડ 89 લાખ 300 રૂપિયાનો દંડ વસુલ્યો
24 માર્ચથી અત્યાર સુધી પોલીસે અનેક લોકો સામે જાહેરનામા ભંગની કાર્યવાહી કરી છે. અમદાવાદમાં 24 માર્ચ 30 નવેમ્બર સુધીમાં પોલીસે જાહેરનામા ભંગના કુલ 32284 કેસો કર્યા છે અને તેની સામે કુલ 41054 ધરપકડ કરવામાં આવી છે. સાથો સાથ માસ્ક ના પહેરવા બદલ કુલ 2 લાખ 78 હજાર 746 કેસો પોલીસે કર્યા છે અને અને જેમાં કુલ 14 કરોડ 89 લાખ 300 રૂપિયાનો દંડ વસુલ કર્યા છે. છતાં પણ લોકો માસ્ક વગર ફરી રહ્યા હોય તેવા સામે પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે.
11 પોલીસ કર્મચારીઓ જીવ ગુમાવ્યો
કોરોનાની આ લપેટમાં પોલીસ પણ બાકાત રહી નથી. અત્યાર સુધી પોલીસના કુલ 976 લોકો કોરોના સંક્રમિત અને 872 જેટલા પોલીસ કર્મચારીઓ સારા પણ થઇ ગયા છે. પરંતુ દુઃખદ વાત એ છે કે 11 પોલીસ કર્મચારીઓ કોરોનાના કારણે જીવ ગુમાવી ચૂક્યા છે. જોકે હાલ પણ 95 જેટલા પોલીસ કર્મચારીઓ કોરોનાગ્રસ્ત છે. પોલીસ અધિકારીઓ દ્વારા એક એવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે કોર્પોરેશન સાથે મળી તમામ પોલીસ કર્મચારીઓનું કોરોના ટેસ્ટ કરવામાં આવશે. સાથો સાથ તમામ પોલીસ સ્ટેશન અને એજન્સીઓમાં સેનેટાઈઝર કરવામાં આવશે.
કોરોનાના કેસમો સતત વધારો થતા હાઈકોર્ટએ સરકારની કામગીરીને લઈને નારાજગી વ્યકત કરી હતી. માસ્ક આપીને સરકાર દંડ ઉઘરાવે છે. પરંતુ લોકોને જાગૃત કરવા અને કોરોનાની ગંભીરતા સમજાવવા તેઓને કોવિડ સેન્ટરમાં કામ કરવાનો આદેશ આપ્યો હતો. જેથી હવે સરકારના આદેશ બાદ પોલીસ માસ્કના દંડની સાથે કાયદેસરની કાર્યવાહી પણ કરશે.