અમદાવાદની કોરોના વોરિયર નર્સએ અનોખી જીત મેળવી છે. કેમકે નર્સએ 100 દિવસ ICUમાં રહી કેન્સર અને બ્રેઈન હેમરેજને માત આપીને જંગ જીત્યા છે.
100 દિવસ ICU માં રહી અમદાવાદની કોરોના વોરિયર નર્સે મોત સામે જીતી જંગ
લોહી પાતળું કરવાની દવાની આડઅસરથી અચાનક કોમામાં સરી પડ્યા હતા
ડોક્ટરની વાતો સાંભળી ભીની થઇ જશે આંખો
કોરોના વોરિયસ 100 દિવસ ICUમાં રહી અમદાવાદની કોરોના વોરિયર નર્સે મોત સામે જંગ જીતી છે. જે અંગે ડૉક્ટરે સારવાર અને પરિવારે જિતાડ્યાં વાત કરી રહ્યા છે, ત્યારે કોણ છે, આ દર્દી કેવી રીતે બીમારીને માત આપી જોઇએ આ રીપોર્ટમાં....
અમદાવાદની એલજી હોસ્પિટલના સિસ્ટર ઇન્ચાર્જ તરીકે ઉષાબેન ઝાલા કામગીરી કરતા હતા. તેમણે કોવિડ મહામારીમાં આઈસીસીયુની સારવારમાં સારી કામગીરી બદલ સરકારે સન્માનિત કર્યા બાદ કોવિડ સંક્રમિત થયા. જો કે કોવિડમાંથી સાજા થયા બાદ ઉષાબેનને સ્તન કેન્સરની બીમારી સારવારમાં રેડિયો અને કીમોથેરેપીથી સારવાર મેળવીને સ્વસ્થ થયા હતા. ફરી દર્દીની સારવાર માટે ઉષાબેન જોતરાઈ ગયા. પરંતુ દર્દીની સારવાર કરતા ઉષાબેન એકએક ઢળી પડતા તેમને મગજમાં હેમરેજ થયું અને કેન્સર સારવાર માટે લોહી પાતળું કરવાની દવાની આડઅસરથી અચાનક કોમામાં સરી પડ્યા. જોકે એક ખાનગી હોસ્પિટલમાં વેન્ટિલેટર પર રખાયાં હતાં, જ્યાં ખર્ચ વધતાં છેવટે ડો. જીવરાજ મહેતા હોસ્પિટલમાં ખસેડાયાં સારવાર મેળવી.
જો કે ખાનગી હોસ્પિટલમાં આસરવાર મેળવી રહેલા પરિવાર આર્થિક કટોકટીમાં આવી ગયો. જેથી એલજી હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના સર્જન ડો. રાઘવે મારી પાસે સારવારની સલાહ સાથે ડો. જીવરાજ મહેતા હોસ્પિટલમાં દાખલ કર્યા. ત્યાં ઉષાબેનને આઈસીસીયુમાં દાખલ કરીને તમને ડો. અરુણા અગ્રવાલ અને ડો. ધૈવત શુકલાને પ્રાથમિક તપાસમાં દર્દીને બચાવવા મુશ્કેલ હોવાનું જણાયું હતું. છતાં ન્યુરોલોજિસ્ટ ડો. માલવ ગદાણી અને ન્યુરો સર્જન ડો. વાય.સી. શાહ દ્વારા મગજનું દબાણ ઓછું કરવાની તેમ જ ચેપની સારવાર શરૂ કરાતા તબિયતમાં સુધારો થયો. તેમજ બ્લડપ્રેશર કંટ્રોલમાં આવી ગયું અને ચેપમુક્ત થયાં હતાં. પરંતુ, લોહી પાતળું કરવાની દવા બંધ કરવાથી ફેફસાં અને હૃદયની નળી બ્લોક થઈ જતાં ફરી એ જ સ્થિતિમાં આવી ગયાં. ન્યુરોલોજિસ્ટની સલાહથી ફરીથી લોહી પાતળું કરવાની દવા આપવાથી મહિના બાદ ફરી તેમણે આંખો ખોલી અને વેન્ટિલેટર અને બ્લડપ્રેશરની દવા બંધ કરાઈ અને આખરે મોત સામે ૧૦૦ દિવસની સારવાર અતે નવી જિંદગીની મેળવી હોવાનું કોરોના વોરિયસ કહી રહ્યા છે.
આજે ઉષાબેન જીદગીનો જંગ જીતી ગયા. ૧૦૦ દિવસની સારવારમાંથી પરત ફરેલા ઉષાબેન પણ ફરી સારવાર માટે પાછા જવાની વાત કરે છે, ત્યારે પરિવારજનો ૧૦૦ દીવસની સ્ટગલને ડોક્ટર પર અને ભગવાન પર વિશ્વાસ કારણે શક્ય બનાવનું કહી રહ્યા છે.