દેશમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે દુનિયાભરમાં કોરોના વાયરસણી રસી શોધવા માટે યુદ્ધના ધોરણે કામ કરવામાં આવી રહ્યું છે. એવામાં દેશના સ્વાસ્થ્ય મંત્રીએ પણ આશ્વાસન આપ્યું છે કે ચિંતા ના કરશો એક વર્ષમાં કોરોનાની વેક્સીન આવી જશે.
દુનિયામાં સૌથી સારું પ્રદર્શન ભારતનું : ડૉ હર્ષવર્ધને
ભારતમાં ટેસ્ટિંગ વધી રહ્યા છે અને મૃત્યુદર ઓછું : ડૉ. હર્ષવર્ધન
આવતા વર્ષ સુધી કોરોનાની રસી આવી જશે
દેશમાં કોરોના વાયરસના કેસ સતત વધારો થઇ રહ્યો છે. દરરોજ 15 હજારથી વધારે કેસ આવી રહ્યા છે જ્યારે 400થી વધુ લોકોના મોત થઇ રહ્યા છે ત્યારે દેશનાં સ્વાસ્થ્ય મંત્રી ડૉ હર્ષવર્ધને કહ્યું છે કે લોકોએ ચિંતા કરવાની જરૂર નથી. દુનિયાના અન્ય દેશોની સરખામણીમાં ભારત ખૂબ સારું પ્રદર્શન કરી રહ્યું છે. ટેસ્ટિંગ વધી રહ્યા છે અને મૃત્યુદર ઓછી છે. આવતા વર્ષ સુધી કોરોનાની રસી આવી જશે. અન્ય બીમારીઓની જેમ કોરોના પણ જતો રહેશે ફક્ત આપણે આપણી જીવનશૈલીમાં ફેરફાર કરવો પડશે.
ભારતમાં મૃત્યુદર ૩ ટકા છે જે સૌથી ઓછો છે
મીડિયા સાથે વાતચીતમાં દેશના સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે કોરોનાનો પહેલો કેસ 30મીએ આવ્યો હતો અને ભારતણી વસ્તી 135 કરોડ છે જેની સામે અત્યાર સુધી પાંચ લાખ કેસ છે જેમાં 3 લાખથી સાજા થઇ ગયા છે. ભારતમાં મૃત્યુદર ૩ ટકા છે જે સૌથી ઓછો છે.
દુનિયામાં સૌથી સારું પ્રદર્શન આપણું
ડૉ હર્ષવર્ધને કહ્યું કે કેટલાય નિષ્ણાતોએ કહ્યું હતું કે દેશમાં 300 મિલિયન કરતા વધુ કેસ સામે આવશે. જેની સામે અત્યારે કેસ અને મૃત્યુદર બંને ઓછા છે. ભારતથી વધારે રીકવરી રેટ માત્ર રશિયામાં જ છે. ચિંતા કરવાની જરૂર નથી. વાયરસ સમય સમય પર આવતો જ રહે છે. પોલિયોને જડમૂળથી સમાપ્ત કર્યો છે એમ જ કોરોના પણ જશે. દુનિયામાં સૌથી સારું પ્રદર્શન આપણું છે.
થોડા સમય પહેલા પતંજલિના બાબા રામદેવે કોરોનાની દવા પર દાવો કર્યો હતો જેના પર તેમણે કહ્યું કે મેં વ્યક્તિગત રીતે તેનું અધ્યયન કર્યું નથી. કારણ કે તેમણે જે દવાનો દાવો કર્યો છે તે આયુષ મંત્રાલયમાં આવે છે તેથી આ મુદ્દે નિવેદન તો આયુષ મંત્રાલય જ આપી શકે છે.