કોરોના વાયરસ હાલ ચીનમાં તબાહી મચાવી રહ્યો છે. અત્યાર સુધી 25 વધુ લોકોના મોતની પુષ્ટિ થઇ છે. આ સાથે મૃતાંક 132 થઈ ગયો છે. વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે આગામી 10 દિવસમાં વાયરસનો ચેપ ટોચ પર પહોંચશે. પરિણામે મોટી સંખ્યામાં લોકોના મોત નીપજશે.
આરોગ્ય નિષ્ણાતોએ ચીનમાં જીવલેણ કોરોના વાયરસ વિશે ચેતવણી આપી છે કે આગામી 10 દિવસમાં વાયરસનો ચેપ ટોચ પર પહોંચશે. પરિણામે મોટી સંખ્યામાં લોકોના મોત નીપજશે. ચીનમાં આ રોગની તબાહી એટલી વધી ગઈ છે કે 25 વધુ લોકોના મોતની પુષ્ટિ થઇ છે જેની સાથે કુલ મૃત્યુની સંખ્યા 132 થઈ ગઈ છે. તેની પુષ્ટિ પણ કરવામાં આવી છે કે લગભગ 6,000 લોકોને આ રોગનો ચેપ લાગી ચુક્યો છે.
નવા કેસ સામે આવ્યા
ચીનના આરોગ્ય અધિકારીઓએ બુધવારે જણાવ્યું હતું કે મંગળવાર સુધી વાયરસના ચેપના 5,974 કેસોની પુષ્ટિ થઈ છે અને વાયરસને લીધે ન્યુમોનિયા ના 31 નવા કેસ નોંધાયા છે. સત્તાવાર સમાચાર એજન્સી શિન્હુઆના જણાવ્યા અનુસાર આ વાયરસને કારણે અત્યાર સુધીમાં કુલ 132 લોકોનાં મોત નીપજ્યાં છે. તેમણે કહ્યું કે મંગળવાર સુધીમાં હુબેઇ પ્રાંતમાં કોરોના વાયરસને કારણે 125 લોકોનાં મોત નીપજ્યાં છે અને 3,554 કેસની પુષ્ટિ થઈ છે.
એજન્સીએ જણાવ્યું હતું કે કોરોના વાયરસથી પીડિત લોકોમાંથી 1,239 ની હાલત ગંભીર છે અને 9,239 સંભવિત કેસ નોંધાયા છે.
શું છે કોરોના વાયરસ?
કોરોના વાયરસ એ વાયરસનું એક મોટું જૂથ છે, પરંતુ આમાંથી ફક્ત છ વાયરસ જ લોકોને ચેપ લગાવે છે. તેની સામાન્ય અસરો શરદી છે પરંતુ Severe Acute Respiratory Syndrome (SARS) એ એક એવો કોરોના વાયરસ છે જેણે 2002-03માં ચીન અને હોંગકોંગમાં લગભગ 650 લોકોના જીવ લીધા હતા.
ચીનના ડોક્ટરોએ કર્યો આ દાવો
કોરોના વાયરસ આંખોથી ફેલાય છે. ગ્રસિત દર્દીને અડ્યા બાદ જો તે હાથ તમારી આંખ પર લાગે છે તો ઈન્ફેક્શન લાગી શકે છે. આ સિવાય છીંક અને કફ માં નીકળેલા કીટાણુઓ આંખો સુધી પહોંચીને વ્યક્તિને રોગી બનાવી રહ્યા છે. નાક અને મોઢા પર માસ્ક પહેરવા અને ચશ્મા પહેરવામાં જ સાવધાની જણાવવામાં આવી રહી છે.