કોરોના વાયરસનું જોખમ દિવસે ને દિવસે વધતું જઇ રહ્યું છે. આ જીવલેણ વાયરસની ચપેટમાં આવનાર લોકોનો આંકડો વધતો જઇ રહ્યો છે. સમગ્ર દુનિયામાં અત્યાપ સુધી દોઢ લાખથી વધારે લોકો કોરોના શિકાર થઇ ગયા છે. એક તાજેતરના રિપોર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે પહેલા 5 દિવસની અંદર શરીરમાં 3 ખાસ લક્ષણ નજર આવવા પર કોરોના વાયરસ હોઇ શકે છે.
અમેરિકાના શોધકર્તાઓ દ્વારા જારી આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે કોરોના વાયરસની ચપેટમાં આવ્યા બાદ પહેલા 5 દિવસોમાં માણને સુકી ખાંસી આવવાનું શરૂ થઇ જાય છે.
દર્દીને ખૂબ જ તાવ આવવા લાગે છે અને એના શરીરનું તાપમાન ખૂબ વધારે વધી જાય છે. અત્યાર સુધી ઘણા હેલ્થ એક્સપર્ટ કોરોના વાયરસમાં વધારે તાવ આવે એનો દાવો કરી ચુક્યા છે.
કોરોના વાયરસની ફરિયાદ થવા પર પહેલા 5 દિવસોમાં માણસને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગે છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે શ્વાસની સમસ્યા ફેફસામાં બલગમ ફેલાવવાના કારણે થાય છે.
નેશનલ હેલ્થ સેન્ટર અને વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશને પણ કોરોના વાયરસમાં આ લક્ષણ હોવાનો દાવો કર્યો હતો. એમાં દુખાવો અને ખાંસી જેવી સમસ્યાઓ માટે પણ જણાવવામાં આવ્યું છે.
શોધકર્તાએ આ રિસર્ચ ચીનના વુહાન શહેરની બહાર આશરે 50 વિસ્તારમાં કર્યું છે. હેલ્થ એક્સપર્ટે આ દરમિયાન લોકોને 14 દિવસ માટે સેલ્ફ આઇસોલેટ રહેવાની પણ સલાહ આપી છે.
રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે કોરોના વાયરસથી મળતા લક્ષણ સામાન્ય શરદી, ફ્લૂ, ઇન્ફેક્શન અથવા નિમોનિયાથી ખૂબ મળતા આવે છે.
પરંતુ સામાન્ય રીતે થતા ફ્લૂ-ઇન્ફેક્શનમાં કેટલાક દિવસની અંદર દર્દીની રિકવરી થવા લાગે છે. જ્યારે નિમોનિયા થોડા સપ્તાહ અથવા મહિના સુધી રહે છે.
કોરોના વાયરસથી બચવા માટે સૌથી સરળ રીતે છે કે તમે થોડી થોડી વાર સાબુથી હાથ ધોતા રહો, ચહેરા, નાક અથવા મોઢા પર હાથ લગાવો નહીં અને ઓછા લોકોને મળો.
કોરોના વાયરસમાં આ વાતોનું રાખો ખાસ ધ્યાન
સીડીસીએ લોકોને સલાહ આપી છે કે કોરોના વાયરસથી બચવા માટે સ્વચ્છતાનું વિશેષ ધ્યાન રાખો, કોઇ પણ ચીજને હાથ લગાવ્યા બાદ 20 સેકન્જ સુધી હાથને યોગ્ય રીતે ધોવો.
જો તમે કોરોના વાયરસનો શિકાર છો કો તમારું ધ્યાન રાખવાની સાથે સાથે કોઇ પણ વ્યક્તિની નજીક જશો નહીં, એનાથી વધતા જોખમને રોકવામાં સરળતા રહેશે.
કોરોના વાયરસની ચપેટમાં આવ્યા બાદ સ્કૂલ, કૉલેજ અથવા ઑફિસ ના જશો. ઘરમાં રહો અને ડૉક્ટરની સલાહ માનીને આગળ વધો.
વધારે ભીડભાડ વાળી જગ્યા પર જવાનું ટાળો, ફોન અથવા બીજી જરૂરી વસ્તુ જેનો તમે વધારે ઉપયોગ કરો છો એમાં પણ સફાઇનું વિશેષ ધ્યાન રાખો.
જો તમને તાવ, કફ અને શ્વાસ લેવામાં સમસ્યા આવી રહી છે તો અને છેલ્લા 14 દિવસમાં આ વાયરસથી સંક્રમિત કોઇ વ્યક્તિને મળ્યા છો તો એને નજરઅંદાજ કરશો નહીં. તમારા ડૉક્ટરને જાણકારી આપો.
મોંઢું ઢાંક્યા વગર છીંક ખાશો નહીં. ખાંસી અથવા છીંક આવવા દરમિયાન તમારા મોઢાને ટિશૂ પેપરથી કવર કર અને એને તરત ડસ્ટબિનમાં ફેંકી દો.
કાચુ માંસ ખાશો નહીં, નૉનવેજ ખાતી વખતે સફાઇનું ધ્યાન રાખો. હાઇજીનનું વિશેષ ધ્યાન રાખો અને યોગ્ય રીતે બનેલું નૉનવેજ ખાવ.
જો કે લોકો કોરોના વાયરસને લઇને ખૂબ જ સતર્ક થઇ ગયા છે. તેમ જ જે દેશોમાં આ કોરોના વાયરસ ફેલાયો છે એ દેશોની યાત્રા પણ કરશો નહીં. સરકાર તરફથી આ પ્રકારની ચેતવણી સતત જારી કરવામાં આવી રહી છે.