કોરોના વાયરસ એક્સપર્ટે મહામારીના ત્રીજા તબક્કાની ચેતવણી આપી દીધી છે. જો કે દુનિયામાં તે સ્પષ્ટ નથી થયુ કે ક્યા સમયને કોરોના વધવાનો ગાળો કહી શકાય ત્યાં બ્રિટનના એડિનબર્ગ યુનિવર્સિટીમાં સંક્રમક રોગોના પ્રોફેસર માર્કે કહ્યું છે કે કોરોનાનો ત્રીજા તબક્કો આવશે.
આવી શકે છે કોરોનાનો ત્રીજો તબક્કો
નેશનલ લૉકડાઉનની શક્યતાઓ વધી
બ્રિટનના એક્સપર્ટે આપી સલાહ
એક રિપોર્ટ અનુસાર, બ્રિટિશ કોરોના એક્સપર્ટ માર્કનું કહેવું છે કે લૉકડાઉનથી કોરોના ખત્મ નહી થાય પરંતુ સમસ્યા થોડી આગળ વધી જાય છે. તમને જણાવી દઇએ કે બ્રિટનમાં ફરીથી કોરોનાના કેસ વધી ગયા છે અને જેના કારણે નેશનલ લૉકડાઉનની શક્યતાઓ વધી ગઇ છે.
પ્રોફેસરનું કહેવું છે કે નજીકના ભવિષ્યમાં આવનારી તકલીફનુ કોઇ સોલ્યુશન લાવવું જોઇએ જેથી હાલ પુરતી ચિંતા ઓછી થઇ જાય પરંતુ તેનાથી વાયરસ જતો રહ્યો તવુ ન સમજવું જોઇએ. એક ઇન્ટરવ્યૂમાં કહેવામાં આવ્યુ હતુ કે સપ્ટેમ્બરમાં ફરીથી લૉકડાઉનની જરૂરિયાત જણાવવામાં આવી હતી.
જ્યારે પ્રોફેસરને પૂછવામાં આવ્યુ કે કોરોનાનો ત્રીજા તબક્કો આવી શકે છે ત્યારે તેમણે કહ્યું કે ચોક્કસ આવી શકે છે. જો આવનારા 6 કે 12 મહિના સુધી કોરોનાની વેક્સિન નહી આવે તો કોરોનાને મ્હાત આપવાના ઓપ્શન શોધવાના શરૂ કરી દેવા જોઇએ. જેમકે દેશમાં મોટી આબાદી છે અને તેના ટેસ્ટિંગની વ્યવસ્થા વગેરે.
તમને જણાવી દઇએ કે બ્રિટનમાં કોરોના વાયરસથી 4 લાખ 34 હજાર લોકો જ સંક્રમિત થયા છે પરંતુ દુખની વાત એ છે કે 41 હજારથી વધારે લોકોનુ મોત નિપજ્યું છે.