દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોના મામલા સતત વધતા જઇ રહ્યા છે. શુક્રવારે જ એક દિવસમાં આશરે 50થી વધારે લોકો સંક્રમિત થયા હોવાના કેસ સામે આવ્યા છે. એવામાં બજારોમાં માસ્ક અને સેનેટાઇઝરનું વેંચાણ વધી ગયું છે. વેંચાણ વધવાની સાથે જ દુકાનદાર ગ્રાહકો પાસેથી માસ્ક અને સેનેટાઇઝર પર મનમાની કિંમત વસૂલ કરી રહ્યા છે. સરકારે એની પર રોક લગાવવા માટે મોટું પગલું ભર્યું છે.
દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોના કેસમાં વધારો
બજારોમાં માસ્ક અને સેનેટાઇઝરનું વેંચાણ વધ્યું
રકારે માસ્ક અને સેનેટાઇઝરના ભાવ નક્કી કર્યા
સરકારે માસ્ક અને સેનેટાઇઝરના ભાવ નક્કી કરી દીધા છે. કોઇ પણ દુકાનદાર માસ્ક અને સેનેટાઇઝર પર નક્કી રકમથી વધારે રૂપિયા વસૂલ કરી શકશે નહીં. જો વધારે રૂપિયા લેતા પકડાશે તો એમની પર મોટી કાર્યવાહી કરવામાં આવશે. સરકારે 200ML હેન્ડ સેનેટાઇઝરની કિંમચ વધારેમાં વધારે 100 રૂપિયા નક્કી કરી છે જ્યારે માસ્કની કિંમત 10 રૂપિયા નક્કી કરી છે. સરકારનો આ આદેશ 30 જૂન સુધી પ્રભાવી રહેશે.
આ બાબતે રામવિલાસ પાસવાને ટ્વિટ કરીને જણાવ્યું કે કોરોના વાયરસ ફેલાયા બાદથી બજારમાં વિભિન્ન ફેસ માસ્ક, એના નિર્માણમાં લગતી સામગ્રી અને હેન્ડ સેનિટાઇઝરની કિંમતોમાં ખૂબ જ વધારો જોવા મળ્યો છે. સરકારે એને ગંભીરતાથી લઇને એની કિંમત નક્કી કરી દીધી છે. તેમજ આ કિંમત 30 જૂન 2020 સુધી સમગ્ર દેશમાં લાગૂ રહેશે.
જણાવી દઇએ કે ભારતમાં એક દિવસમાં સૌથી વધારે 50 નવા કેસ સામે આવ્યા. આ સાથે દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 223 પહોંચી ગઇ છે. આ સંક્રમિતોના સંપર્કમાં આવેલા 6700થી વધારે લોકોને દેખરેખમાં રાખવામાં આવ્યા છે. સંખ્યા વધવાથી રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને એને નિયંત્રિત કરવા માટે કડક પગલું ભરવા મજબૂર થવું પડ્યું છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ કહ્યું કે દેશની આર્થિક રાજધાની મુંબઇ અને પુના સહિત તમામ મોટા શહેરોમાં કાર્યસ્થળ 31 માર્ચ સુધી બંધ રહેશે.
ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી દ્વારા 22 માર્ચે સવારે સાત વાગ્યાથી રાતે 9 વાગ્યા સુધી કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે સામાજિક મિલનથી દૂર રહીને જનતા કર્ફ્યૂની જાહેરાત કરી છે. એમને લોકોને કહ્યું કે એ ટોલ ફ્રી નંબર 1075નો ઉપયોગ કોઇ પણ જાણકારી પ્રાપ્ત કરવા માટે કરે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તરફથી રવિવારે જનતા કર્ફ્યૂને સફળ બનાવવાના આહ્લાનના જવાબમાં ઘણા વેપારીઓ સહિત જનસેવાઓએ પોતાના પ્રતિષ્ઠાનોને બંધ કરવાનો નિર્ણય કર્યો છે.