કોરોના વાયરસના ખતરા અને કડકડતી ઠંડી વચ્ચે કેટલાય રાજ્યોમાં શાળાઓ ખોલી દેવામાં આવી છે. ભારતમાં કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો સામે આવી રહ્યો છે અને તેને જોતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોના વાયરસના કારણે કેટલાય મહિના સુધી શાળાઓ બંધ રાખવામાં આવી હતી.બ્રિટનના કોરોના વાયરસના નવા પ્રકારના કારણે ચિંતા વધી રહી છે ત્યાં દેશમાં હવે શૈક્ષણિક સંસ્થાઓ ખોલવામાં આવી રહી છે. કોરોના વાયરસના કારણે મહિનાઓ સુધી બાળકોનું ભણતર બગડયું છે ત્યારે હવે વાલીઓ આશા વ્યક્ત કરી રહ્યા છે કે શિક્ષણ ફરી પાટા પર આવશે.
અડધા-અડધા વિધ્યાર્થીઓ આવી રહ્યા છે શાળામાં
બિહારમાં કોરોના વાયરસના ખતરાને જોતાં શાળાઓને રોસ્ટર અનુસાર ખોળવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શાળાઓમાં એક દિવસમાં અડધા વિધ્યાર્થીઓ ભણવા આવશે અને સાથે સાથે કોરોના વાયરસની ગાઈડલાઇનનું પણ પાલન કરાવવામાં આવી રહ્યું છે. બિહારમાં કોરોના વાયરસના કારણે નવ મહિના સુધી શાળાઓ બંધ રાખવામાં આવી હતી.
આ રાજ્યમાં અડધો દિવસ જ ચાલે છે શાળા
આ સિવાય પોંડિચેરીમાં પણ શાળાઓ ખોલી દેવામાં આવી છે અને સરકારની ગાઈડલાઇન અનુસાર માત્ર અડધો દિવસ સુધી જ શાળાઓમાં શિક્ષણકાર્ય કરવામાં આવશે. ઝારખંડમાં દસમા અને બારમાં ધોરણ માટે શાળાઓ ખોલાઈ છે કારણ કે થોડા મહિના બાદ બોર્ડની પરીક્ષા કરવામાં આવશે.
અરુણાચલ પ્રદેશમાં સરકારે ધોરણ 8થી 11 સુધીના બાળકો માટે શાળાઓ ખોલી છે. ધો. 10 અને 12 માટે નવેમ્બર મહિનામાં જ શાળાઓ ખૂલી ગઈ હતી. મહિનાઓ બાદ હવે શાળાઓ નિયમિત રૂપે કામ કરી રહી છે.
કૉલેજ પણ થઈ શરૂ
આ સિવાય અસમમાં પણ પ્રાથમિક ધોરણથી યુનિવર્સિટી સુધી શૈક્ષણિક સંસ્થાઓ ખોલી દેવામાં આવી છે. કર્ણાટકમાં પહેલી જાન્યુઆરીથી ધો. 6થી 12 માટે શાળાઓ ખોલી દેવામાં આવી છે અને એક સમયે કોરોના વાયરસના હોટસ્પોટ રહેલા કેરળમાં પણ પહેલી જનયુઆરીથી આંશિક રૂપે શાળાઓ ખોલી દેવાઈ છે જેમાં સીમિત સમય માટે ધો. 10 અને 12ના વિધ્યાર્થીઓને ભણાવવામાં આવશે.