વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ને ભારતમાં કોરોના વાયરસના કમ્યુનિટી ટ્રાન્સમિશનને લઇને સ્પષ્ટતા કરી છે. ડબલ્યૂએચઓનું કહેવું છે કે તેમની પહેલી રિપોર્ટમાં ભૂલ થઇ હતી. ભારતમાં કોરોના વાયરસનું કોમ્યુનિટી ટ્રાન્સમિશન થયું નથી. ભારતમાં કોરોનાનું સંક્રમણ કેટલીક જગ્યાઓ પર સમૂહમાં છે પરંતુ હાલ તેને કમ્યુનિટી ટ્રાન્સમિશન કહી શકાય નહીં.
WHOને ભારતમાં કોરોના વાયરસના કમ્યુનિટી ટ્રાન્સમિશનને લઇને સ્પષ્ટતા કરી
ભારતમાં કોરોના વાયરસનું કોમ્યુનિટી ટ્રાન્સમિશન થયું નથી : WHO
આ પહેલા ડબલ્યૂએચઓની રિપોર્ટમાં ભારતની કોલમમાં કહેવામાં આવ્યું હતું કે અહીં કોરોના વાયરસનું હવે સોશિયલ ટ્રાન્સમિશન થઇ રહ્યું છે. જોકે આ લેખમાં ચીનમાં ક્લસ્ટર ટ્રાન્સમિશનની વાત કહેવામાં આવી હતી જ્યાં કોરોના વાયરસનો સૌથી પહેલા સંક્રમણ શરૂ થયું હતું. ભારતમાં કોરોના વાયરસના 6761 કેસ નોંધાયા છે અને કુલ 206 લોકોના મોત થયા છે.
છેલ્લા 24 કલાકમાં જ 33 લોકોના મોત થયા છે. જોકે સરકારે તેનાથી ઇનકાર કર્યો છે કે દેશ સ્ટેજ 3માં પહોંચ્યું છે અથવા સોશિયલ ટ્રાન્સમિશન થઇ રહ્યું છે. સરકારનું કહેવું છે કે એવુ ત્યારે થાય છે જ્યારે સંક્રમણ વધી જાય છે અને સ્ત્રોતની જાણકારી મેળવવી મુશ્કેલ બની જાય છે, દેશમાં હાલ એવી સ્થિતિ નથી.
No community transmission in the country yet, no need to panic; But remain aware and alert: Ministry of Health on COVID19 https://t.co/r2z5FBMSEM
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ કહ્યું- દેશમાં હાલ સોશિયલ ટ્રાન્સમિશન નહીં
દેશમાં કોરોના વાયરસના કેસની સંખ્યા ઝડપથી વધી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર ભારતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના સંક્રમણના કુલ 6761 કેસ નોંધાયા છે. જ્યારે 206 લોકોના મોત થઇ ચૂક્યા છે. કુલ 516 લોકો કોરોના વાયરસની બીમારીથી રિકવર થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્રવારે કહ્યું કે દેશમાં હાલ સોશિયલ ટ્રાન્સમિશનની સ્થિતિ નથી, પરંતુ સતર્કતા જરૂરી છે. દેશમાં ટેસ્ટિંગની સ્પીડ વધી છે અને અત્યાર સુધીમાં કુલ 213 લેબ કામ કરી રહી છે.