કોરોના વાયરસના સંકટને લઈ આજે શુક્રવારે PM મોદી ઘણા રાજયોના મુખ્ય મંત્રીઓ સાથે બેઠક કરી.
કોરોના વાયરસના સંકટને લઈ આજે શુક્રવારે PM મોદી ઘણા રાજયોના મુખ્ય મંત્રીઓ સાથે બેઠક કરી. આ મિટિંગમાં તેમણે કહ્યું કે ઘણા રાજ્યોમાં ત્રીજી લહેરને લઈ આશંકા જતાઈ રહી છે, અને આ વધતાં કેસો ઘણો ચિંતાનો વિષય છે. વધુમા તેમણે કહ્યું કે ગયા અઠવાડિયે આવેલા 80 ટકા કેસો માત્ર 6 રાજ્યોના જ છે, જે રાજ્યોમાં કેસો વધારે છે ત્યાં વેકસીનેશનની વધુ જરૂર છે.
#WATCH Prime Minister Narendra Modi interacts with Chief Ministers of Tamil Nadu, Andhra Pradesh, Karnataka, Odisha, Maharashtra, Kerala via video conferencing to discuss the #COVID19 related situation in these states pic.twitter.com/XlwYco6bTW
PM મોદીએ તમિલનાડુ, ઓડિશા, આંધ્રપ્રદેશ, કર્ણાટક, મહરાષ્ટ્રના મુખ્યમંત્રીઓ સાથે વર્ચ્યુઅલ મિટિંગ કરી. આ બધા જ રાજ્યોને કોરોના વધતાં કેસોને લઈ તેમણે કહ્યું કે આ સંકટ સમયમાં એક બીજા જોડેથી કઇંક શીખવાનો પ્રયાસ કરો. આપણે હાલ એવી સ્થિતિમાં છીએ જ્યાં ત્રીજી લહેર દરવાજે જ ઊભી છે.
આગળ તેઓ બોલ્યા કે કેરળ અને મહારાષ્ટ્રમા વધતાં કેસો ઘણા ચિંતાજનક છે. આ બધા જ બીજી લહેર પહેલા વાળા જ લક્ષણ છે. ફરી એકવાર આપણે ટેસ્ટ, ટ્રેક, અને રસીકરણની દિશામાં આગળ વધવું પડશે. ટેસ્ટમાં પણ આપણે સૌથી વધુ RT-PCR પર વધુ ભાર આપવો જોઈએ. બધા જ રાજયોમાં ICU બેડ, ટેસ્ટિંગ ક્ષમતા વધારવા માટે ફંડ આપવામાં આવૈ રહ્યું છે. કેન્દ્રએ 23,000 કરોડ રૂપિયાનું ફંડ આપ્યું છે, તેનો ઉપયોગ કરવો જોઈએ.
કોરોના વાયરસની ત્રીજી લહેરની આશંકા વચ્ચે હાલમાં જ PM મોદીની આ બીજી બેઠક છે. થોડા દિવસ પહેલા જ PM મોદીએ પૂર્વોત્તરના રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી હતી.