દેશમાં કોરોનાના કેસ સતત વધતા જઇ રહ્યા છે. મુંબઈ સહિત મહારાષ્ટ્રના ચાર શહેરોમાં લૉકડાઉન જેવી પરિસ્થિતિ છે. દિલ્હી સહિત કેટલાક રાજ્યોની સરકારોએ રેસ્ટોરન્ટ્સ, સલૂન સહિતની દુકાનો બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે. તેવી પરિસ્થિતિમાં મોટી સંખ્યામાં લોકો પોતાના ગામ-ઘરે પરત ફરવા લાગ્યા છે, જે રોજી-રોટીની શોધમાં શહરોમાં આવ્યા હતા. ત્યારે પીએમ મોદીએ દેશવાસીઓને અપીલ કરી છે.
દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે
ટ્વીટ કર કહ્યું- ભીડભાડમાં પ્રવાસ કરવાથી ખતરો વધે છે
પોતાની અને પોતાના પરિવારની ચિંતા કરો, ઘરેથી ન નિકળો
ત્યારે હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને દેશવાસીઓને કેટલાક દિવસ સુધી પોતાના શહેરમાં જ રહેવાની અપીલ કરી છે, જે શહેરમાં તેઓ છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, કોરોનાના ભયથી મારા કેટલાક ભાઈ-બહેનો રોજી-રોટી કમાય છે, તે શહેરને છોડીને પોતાના ગામ તરફ ફરી રહ્યા છે. ભીડભાડમાં પ્રવાસ કરવાથી આના ફેલાવાનો ખતરો વધે છે. તેમણે કહ્યું કે તમે જ્યાં જઇ રહ્યા છો ત્યાં પણ આ લોકો માટે ખતરો બનશે. પોતાના ગામ અને પરિવારની મુશ્કેલીઓ પણ વધશે.
कोरोना के भय से मेरे बहुत से भाई-बहन जहां रोजी-रोटी कमाते हैं, उन शहरों को छोड़कर अपने गांवों की ओर लौट रहे हैं। भीड़भाड़ में यात्रा करने से इसके फैलने का खतरा बढ़ता है। आप जहां जा रहे हैं, वहां भी यह लोगों के लिए खतरा बनेगा। आपके गांव और परिवार की मुश्किलें भी बढ़ाएगा।
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, મારી સૌને પ્રાર્થના છે કે તમે જે શહેરમાં છો, કૃપા કરીને થોડા દિવસ ત્યાં જ રહો. આનાથી આપણે સૌ આ બીમારીને ફેલવાથી રોકી શકીએ છીએ. તેમણે કહ્યું કે રેલવે સ્ટેશનો, બસ સ્ટેશનો પર ભીડ કરીને પોતાના સ્વાસ્થ્યની સાથે રમત કરી રહ્યા છો. કૃપા કરીને પોતાના અને પોતાના પરિવારની ચિંતા કરો. જરૂર ન હોય તો પોતાના ઘરની બહાર ન નિકળો.
कोरोना के भय से मेरे बहुत से भाई-बहन जहां रोजी-रोटी कमाते हैं, उन शहरों को छोड़कर अपने गांवों की ओर लौट रहे हैं। भीड़भाड़ में यात्रा करने से इसके फैलने का खतरा बढ़ता है। आप जहां जा रहे हैं, वहां भी यह लोगों के लिए खतरा बनेगा। आपके गांव और परिवार की मुश्किलें भी बढ़ाएगा।
મહત્વનું છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસના ખતરાને લઇને ગુરૂવારે રાત્રે 8 વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કર્યો હતો. પીએમએ પોતાના સંબોધનમાં દેશવાસીઓને જાગૃત રહેવાની અપીલ કરતા 22 માર્ચ, રવિવાર સવારે 7 વાગ્યાથી રાત્રીના 9 વાગ્યા સુધી જનતા કર્ફ્યૂનું આહ્વાન કર્યું હતું. પ્રધાનમંત્રીએ આ દરમિયાન લોકોને ઘરથી બહાર ન નિકળવાની અપીલ કરી હતી.