કોરોના વાયરસના કારણે સામાન્ય જનજીવન પર તેની અસર પડી રહી છે અને તેને ખત્મ કરવાને લઇને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે સાંજે વીડિયો કોન્ફરન્સ દ્વારા અન્ય દેશમાં કાર્યરત ભારતના રાજદૂતો સાથે વાતચીત કરી હતી. પીએમ મોદીએ કહ્યું અસાધારણ સમય માટે અસાધારણ સમાધાનની જરૂરિયાત હોય છે, એટલા માટે આજના સમયગાળામાં સૌથી વધારે લોકોએ અલગ રહેવાનો નિર્ણય કર્યો છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે અસાધારણ સમય માટે અસાધારણ સમાધાનની જરૂરિયાત પર પીએમ મોદી એ કહ્યું કે આ જ કારણ છે કે આ વૈશ્વિકરણના યુગમાં પણ દુનિયાના વધારે લોકોએ પોતાને અલગ કરી લીધા. આ ભયાનક મહામારીથી લડવા માટે આ એક સરાહનીય પગલું હતું. આ ઘણું જરૂરી એટલા માટે પણ હતું કે વૈશ્વિક વ્યવસ્થા ઠપ થઇ જવાથી આંતરરાષ્ટ્રીય ટ્રાન્સપોર્ટ પ્રણાલી, નાણાંકીય બજારો અને વૈશ્વિક અર્થવ્યવસ્થા પર વ્યાપક અને દૂરગામી અસર પડી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઘણા દેશોમાં તૈનાત ભારતીય રાજદૂતો સાથે વાતચીત કરી. આ વીડિયો કોન્ફરન્સમાં વિદેશ મંત્રી એસ જયશંકર અને વિદેશ સચિવ હર્ષવર્ધન ઋંગલા પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
Prime Minister Narendra Modi interacts via video conferencing with India's heads of diplomatic missions over the #COVID19 situation. External Affairs Minister S Jaishankar and Foreign Secretary Harsh Vardhan Shringla also present. pic.twitter.com/BVWTRfMBeC
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું ભારતે આ વર્ષે જાન્યુઆરીના મધ્યથી આ મહામારીના ફેલાવાને રોકવા માટે અભૂતપૂર્વ અને પ્રારંભિક પગલા ભરી દીધા હતા. જેથી સંક્રમણના જોખમને ઘટાડી શકાય અને તેની વ્યાપક સતર પર ફેલાવાને રોકી શકાય.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ભારતીય અધિકારીઓને 5 પગલા લેવા અંગે વાત કરી
1 પોતાનો અને પોતાના પરિવાર સાથે પોતાની ટીમની આરોગ્ય અને સુરક્ષા સુનિશ્ચિત કરો.
2. આંતરરાષ્ટ્રીય યાત્રા પ્રતિબંધની અનિશ્ચિતતાને ધ્યાનમાં રાખતાં, કેટલાંક દેશોમાં રહેનારા ભારતીયની ઉપસ્થિતિ પર નજર રાખો.
3. કોરોના વિરુદ્ધ ભારતની લડાઇ માટે ચિકિત્સા ઉપકરણો ખરીદવા માટે માન્યતા પ્રાપ્ત સારા પ્રેકટિસ, નવી શોધ, મેડિકલ સામગ્રી અને વસ્તુઓની ઉપલબ્ધતાવાળા દેશોની ઓળખ કરો.
4. વાયરસના કારણે અર્થવ્યવસ્થા પર ખાસ અસર પડી છે. પીએમ મોદીએ રાજદૂતોને સલાહ આપી કે વિદેશી ભાગીદારોની સાથે પોતાના સમન્વયના માધ્યમથી આવશ્યક આપૂર્તિ, લોજિસ્ટિક સાંકળ વગેરે પર ધ્યાન કેન્દ્રિત કરો.
5. કોરોના વાયરસને ધ્યાનમાં રાખી આંતરરાષ્ટ્રીય રાજકીય અને આર્થિક સ્થિતિ પર વિશેષ રીતે નજર રાખો.