પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના વાયરના કારણે લોકડાઉન સહન કરી રહેલ દેશની આર્થિક સ્થિતિ સુધારવા માટે 20 લાખ કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરી હતી. આ આર્થિક પેકેજની સંપૂર્ણ જાણકારી નાણા મંત્રી નિર્મલા સીતારમણ સાંજે 4 વાગે આપશે. જો કે મળતી માહિતી મુજબ નાણામંત્રી આ સંપૂર્ણ પેકેજને કયા સેકટરમાં કેટલું વહેંચવામાં આવ્યું છે તે જાહેર કરશે.
પીએમ મોદીએ આર્થિક પેકેજની જાહેરાત સમયે જણાવ્યું હતું કે આનો ઉપયોગ દેશના દરેક વર્ગ ખેડૂત, મજદૂર, નાના ઉદ્યોગો અને કારીગરોની મદદ માટે મદદમાં આવશે. પીએમ મોદીએ કોરોના વાયરસને લઇને કહ્યું કે હવે સોશિયલ ડિસ્ટન્સની સાથે તમામ દિશા-નિર્દેશોનું પાલન કરવાની સાથે આ વાયરસની સાથે જ જીવવું પડશે.
તમારા ભાગમાં કેટલા
જો ભારતની જનસંખ્યા 133 કરોડ ( 1,33,00,00,000 - 133 ની પછી સાત શૂન્ય) માનીએ તો આ હિસાબથી દરેકના ભાગમાં 15,037.60 રૂપિયા આવ્યાં. જો જનસંખ્યા 130 કરોડ (1,30,00,00,000 - 13 પછી આઠ શૂન્ય) માનીએ તો આ હિસાબે દરેકના ભાગમાં 15,384.60 રૂપિયા આવ્યાં. જો કે આ એક વાત માત્ર છે, આ આર્થિક પ્રતિ વ્યક્તિના હિસાબથી ભાગ પાડવાનો નથી, આવી કોઇ જોગવાઇ નથી.
20 લાખ કરોડ રૂપિયા કેટલા ઝીરો
પીએમ મોદીએ 20 લાખ કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરી છે. જો કે કેટલાંક લોકો તો એ પણ જાણવાનો પ્રયત્ન કરી રહ્યાં છે કે આ કુલ કેટલી રકમ છે અને તેમાં કેટલા શૂન્ય આવે છે. તમને જણાવી દઇએ કે 20 લાખ કરોડ ને જો નંબરોમાં બદલીએ તો 20000000000000 થશે
દેશની કુલ GDP નું કેટલું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસની મહામારીના કારણે મંદીમાં સપડાયેલ અર્થવ્યવસ્થાને ફરી મજબૂત કરવા માટે 20 લાખ કરોડ રૂપિયાનું પ્રોત્સાહન પેકેજ જાહેર કર્યું જે દુનિયાના અલગ-અલગ દેશ દ્વારા જાહેર કરાયેલા આર્થિક પેકેજમાંથી એક છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે 20 લાખ કરોડ રૂપિયાનું આ પેકેજ દેશના જીડીપીના અંદાજે 10 ટકાના બરાબર હશે.
શું હોય છે GDP
GDP એક નિશ્ચિત સમયમાં દેશની અંદર બનનારી બધી તૈયાર વસ્તુઓ અને સેવાઓની કિંમત અથવા નાણાંકીય મૂલ્યને જીડીપી કહેવામાં આવે છે. જીડીપીમાં ખાનગી અને જાહેર વપરાશ, રોકાણ, સરકારી ખર્ચ, ખાનગી શોધ, ચુકવણી-ઉત્પાદન ખર્ચ અને વેપારનું વિદેશી સંતુલન શામેલ છે. જીડીપી એ આર્થિક આરોગ્યની સ્થિતિનું એક માપદંડ છે.