ભારતમાં કોરોના વાયરસ કાળો કેર વર્તાવી રહ્યો છે. વાયરસ દરરોજ દસથી અગિયાર હજાર કેસ વધી રહ્યા છે ત્યારે ભારતમાં જયારે કોરોના વાયરસ પોતાની 'પીકઅપ' પકડી રહ્યું હતું ત્યારે સરકારો કોરોના સામે લડવા માટે કેટલી સજ્જ થઇ તેનો અહેવાલ સામે આવ્યો છે.
અમદાવાદમાં 5.5 કેસની સામે 1.4 ટેસ્ટ અને બેડ 1 જ વધ્યો
ભારતમાં જ્યારે કોરોના વાયરસ ધીમે ધીમે વધી રહ્યો હતો અને તબીબો કહી રહ્યા હતા કે જૂન મહિનામાં જ કોરોના વાયરસના કેસમાં વધારો આવશે ત્યારે જેટલી ઝડપે કોરોના વાયરસના કેસ વધ્યા તે ઝડપે સરકારો તૈયારી કરી શકી નહીં આ જ કારણ છે કે આજે કેટલાય શહેરો કોરોના દર્દીઓને સરખી સારવાર આપી શકતા નથી.
એપ્રિલ 30થી જૂન 15 સુધીનાં આંકડાઓ નજર કરીએ તો મુંબઈ, દિલ્હી, અમદાવાદ અને કોલકાતા જેવા શહેરો કોરોના સામેની જંગમાં તૈયારીઓ કરવામાં કાચા પડ્યા છે.
દિલ્હી : 11.7 કેસની સામે 5 ટેસ્ટ અને 3.2 પથારી વધી
દિલ્હીમાં એપ્રિલ 30ના રોજ દિલ્હીમાં નવા ટેસ્ટ પર નવા કેસ આવવાનો દર 6.1 % હતો જ્યારે 15મી જૂને આ દર વધીને 30.3 ટકા થઇ ગયો. 30મી એપ્રિલથી જૂન 15 સુધીના સમયગાળા દરમિયાન દિલ્હીમાં 11.7 કોરોના કેસ સામે ટેસ્ટની સંખ્યામાં 5 અને 3.2નો જ વધારો કરવામાં આવ્યો.
મુંબઈ : 8.5 કેસની સામે 2.6 ટેસ્ટ અને 3.1 જ બેડ વધ્યા
માયાનગરી મુંબઈની વાત કરીએ તો મુંબઈમાં 30 એપ્રિલથી જૂન 15 વચ્ચે 8.5ના દરે કેસ વધ્યા પણ આટલા કેસની સને સરકારે કોરોના ટેસ્ટમાં 2.6નો જ વધારો કર્યો જયારે કોરોના બેડમાં 3.1નો જ વધારો કરવામાં આવ્યો. નોંધનીય છે કે મે 31ના રોજ નવા કોરોના ટેસ્ટમાં દર 100 ટેસ્ટની સામે 32.3 નવા કેસ આવતા હતા જે 15મી જૂન સુધી ઘટીને 29.2 પર પહોંચ્યો છે.
અમદાવાદ : કોરોનાના 5.5 કેસની સામે 1.4 ટેસ્ટ અને બેડ 1 જ વધ્યો
અમદાવાદમાં કોરોના વાયરસનાં કારણે શરૂઆતથી હાહાકાર મચી ગયો હતો. કોરોના વાયરસમાં ભડકાના કારણે પૂર્વ વિસ્તારમાં કોરોના કેસમાં વધારો થતો હતો ત્યારે મે 31ના રોજ નવા ટેસ્ટમાં પોઝિટિવ કેસ આવવાનો દર 25.8 ટકા હતો જે હાલ ઘટી ગયો છે, હવે દર 100 ટેસ્ટની સામે 20.6 કોરોના પોઝિટિવ કેસ થઇ રહ્યા છે ત્યારે 30 એપ્રિલથી જૂન 15 વચ્ચે દર 5.5 નવા કોરોના કેસ સામે ટેસ્ટમાં 1.4નો જ વધારો થયો જ્યારે બેડમાં 1ના દરે વધારો કરવામાં આવ્યો.
કોલકાતામાં તો ટેસ્ટના આંકડા જ ઉપલબ્ધ નથી
કોલકાતામાં તો ટેસ્ટિંગના કોઈ આંકડા જ આપવામાં નથી આવતા, દીદીના બંગાળમાં કોરોના વાયરસને રોકવા માટે સરકાર કેટલા ટેસ્ટ કરી રહી છે તેની કોઈ માહિતી આપવામાં જ નથી આવતી ત્યારે 30 એપ્રિલથી જૂન 15 દરમિયાન 5.6ના દરે વધતા કોરોના કેસ સામે સરકારે 1.7ના દરે કોરોના બેડમાં વધારો કર્યો.
આમ આ આંકડાઓ જોઇને કહી શકાય કે સરકાર પાસે કોરોનાની ગંભીરતાને જોઇને તેની સામે યુદ્ધ સ્તરે તૈયારીઓ કરવા માટે સમય હતો ત્યારે સરકાર મૂકપ્રેક્ષક બની રહી અને જાણે કોરોના વકરશે તેની 'રાહ' જોઇને બેસી રહી.