રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 9,995 નવા કેસ નોંધાયા તો 104 લોકોના સંક્રમણના કારણે મોત નિપજ્યા છે, લાંબા સમય બાદ 10 હજાર કરતા ઓછા કેસ નોંધાયા
ગુજરાતમાંથી સતત ઘટી રહ્યું છે કોરોના સંકટ
24 કલાકમાં કોરોનાના 9,995 નવા કેસ સાથે 104 દર્દીના થયાં મોત
અત્યાર સુધીમાં 1,47,18,861 લોકોને અપાઇ રસી
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 9,995 નવા કેસ નોંધાયા છે, તો 104 લોકોના સંક્રમણના કારણે મોત નિપજ્યા છે. આજે ફરી એક વખત ગુજરાતમાં, કોરોનાની બીજી લહેરમાં કોરોનાના કેસ કરતા આજે સાજા થનારનો આંકડો વધુ છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 104 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 8944 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. જો કે, નવા કેસની સામે આજે ગુજરાતમાં 15,365 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 6,09,031 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. આમ આજે કેસ વધ્યા છે પરંતુ સાજા થનારનો આંકડો રાહત આપનારો છે. રાજ્યમાં હાલ 786 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 1,17,373 પર પહોંચ્યો છે.
અત્યાર સુધીમાં 1,47,51,911 લોકોને અપાઇ રસી
સારા સમાચાર એ છે કે, આજે રાજ્યમાં 33050 લોકોને રસી આપતાની સાથે અત્યાર સુધીમાં 1,47,51,911 લોકોનું કુલ રસીકરણ થઈ ગયું છે.
સુરત અને અમદાવાદમાં કોરોના સંક્રમણ ઘટ્યું
ગુજરાતમાં રસીકરણની કામગીરી ચાલુ હોવા છતાં બીજી તરફ પરિસ્થિતિ બેફામ છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 2764 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 60 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 631 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 219 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 639 કેસ, જ્યારે ગ્રામ્યમાં 429 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 316 કેસ અને ગ્રામ્યમાં 306 કેસ નોંધાયા છે.ત્યારે જાણો 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત....