કોરોનાનો કહેર દેશમાં સતત ઘટતો જોવા મળી રહ્યો છે. જો કે માત્ર બે રાજ્યમાં કોરોનાના કેસો ઘટતા જોવા મળી રહ્યાં નથી.
ભારતમાં કોરોનાના કેસો સતત ઓછા થઇ રહ્યાં છે, તેમ છતાં બે રાજ્યમાં નવા કેસોની સંખ્યા ઓછી થવાનું નામ લઇ રહ્યાં નથી. ગત અઠવાડિયે દેશમાં કુલ નવા કેસોના 71 ટકા આંકડા આ બે રાજ્યમાંથી આવ્યાં છે. આ રાજ્ય મહારાષ્ટ્ર અને કેરળ છે.
આમ કેરળમાં કુલ મામલાના અડધા કરતા વધારે એટલે કે 49 ટકા નવા કેસ સામે આવ્યાં. કેરળ અને મહારાષ્ટ્રને છોડતાં દેશમાં કોરોના આંકડાઓ ઝડપથી ઘટી રહ્યાં છે.
ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં મહારાષ્ટ્ર અને કેરળમાં કોરોનાના નવા મામલમાં મામૂલી વૃદ્ધિ જોવા મળી છે, જ્યારે દેશના બાકીના ભાગમાં ગત સાત દિવસની સરખામણીમાં 30 ટકા ઘટાડો જોવા મળ્યો.
કેરળમાં 3,742 નવા કેસ મળ્યાં
કેરળના આરોગ્ય મંત્રાલના જણાવ્યાં મુજબ કોવિડ-19ના 3,742 નવા કેસ સામે આવ્યાં અને 16 દર્દીઓના મૃત્યું થયાં. રાજ્યના સચિવાલયના અંદાજે 65 કર્મચારીઓ સંક્રમિત જોવા મળ્યાં. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 9,72,180 થઇ ગઇ છે જ્યારે મૃતકોની સંખ્યા 3,883 પર પહોંચી ગઇ છે. સોમવારે 5,959 લોકો સંક્રમણ મુક્ત થયા અને સ્વસ્થ થનાર લોકોની સંખ્યા 9,02,627 થઇ ગઇ છે. હાલમાં કોરોનાના 65,414 દર્દીઓનો ઇલાજ ચાલી રહ્યો છે.
મહારાષ્ટ્રમાં 15 દર્દીઓની મૃત્યું
મહારાષ્ટ્રમાં સોમવારના રોજ કોરોના વાયરસ સંક્રમણના 2,216 નવા કેસ સામે આવ્યાં પછી રાજ્યમાં સંક્રમિત લોકોની સંખ્યા વધીને 20,46,287 થઇ ગઇ છે. જ્યારે સંક્રમિતના કારણે 15 લોકોના મૃત્યું થયા બાદ રાજ્યમાં આ બિમારીથી જીવ ગુમાવનારોની સંખ્યા વધીને 51,325 થઇ ગઇ છે. સોમવારના રોજ 3,423 લોકોને સંક્રમણમુક્ત થયા બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 19,58,971 દર્દી સ્વસ્થ થઇ ઘયા છે અને દર્દીઓ સ્વસ્થ થવાનો દર 95.72 ટકા છે. મહારાષ્ટ્રમાં વર્તમાનમાં કોરોનાના 34,720 કેસ એક્ટિવ છે જેનો ઇલાજ ચાલી રહ્યો છે.
દેશમાં છેલ્લા 24 કલાકમાં 9,110 નવા કેસ
ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 9,110 નવા કેસ સામે આવ્યા બાદ કુલ પોઝિટિવ કેસોની સંખ્યા 1,08,47304 થઇ ગઇ. જ્યારે 73 નવા મૃત્યુ સાથે કુલ મૃત્યુંઆંક 1,55,158 થઇ ગયો. દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા હવે 1,43,625 અને કુલ ડિસ્ચાર્જ થયેલા કેસની સંખ્યા 1,05,48,521 છે.
33 રાજ્યમાં 5 હજારથી ઓછા એક્ટિવ કેસ
દેશમાં પાંચ રાજ્યમાં કોવિડ-19 સંક્રમિત લોકોની કુલ સંખ્યા 81 ટકા છે. કેરળ અને મહારાષ્ટ્રમાં પૂરા દેશમાં સંક્રમણને લઇને ઇલાજ કરાવનારા લોકોના 70 ટકા કેસ છે. મંત્રાલયે જણાવ્યું કે 33 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં ઇલાજ કરી રહેલા દર્દીઓની સંખ્યા 5 હજારથી ઓછી છે.
25 દિવસમાં 62 લાખથી વધારે રસીકરણ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા મંગળવારે જણાવામાં આવ્યું કે કોરોના વાયરસ રોધી રસી લગાવામાં આવી રહી છે. જેની સંખ્યા 62 લાખની ઉપર પહોંચી ગઇ છે. આ આંકડો દેશમાં 25 દિવસની અંદર પ્રાપ્ત કરવામાં આવ્યો છે. આ દુનિયાનું અત્યાર સુધી આ મોરચા પર સૌથી વધુ ઝડપી છે. આરોગ્ય મંત્રાલય મુજબ મંગળવારે સવાર સુધીમાં દેશમાં કુલ 62,59,008 લોકોને કોરોનાની વાયરસની વેક્સીન લગાવામાં આવી છે.