ભારતમાં કોરોનાની બીજી લહેર થોડો વિરામ લઈ રહી છે ત્યારે કેન્દ્રએ કોરોનાને લઈને ચેતવણી આપી છે કે વાયરસ ફરીથી એટેક કરી શકે છે. તેને અટકાવવાના ઉપાયો લાગુ કરવા તૈયાર રહેવાની જરૂર છે.
કોરોના વાયરસ મામલે કેન્દ્રની ચેતવણી
કોરોનાને અટકાવવાના ઉપાયો લાગુ કરવા પડશે
વાયરસ ફરીથી કરી શકે છે અટેક
ગઈકાલે કેન્દ્રએ કહ્યું કે વાયરસ ફરીથી એટેક કરી શકે છે, આ માટે રાજ્યોના સહયોગથી રાષ્ટ્રીય સ્તરની તૈયારી કરવાની જરૂર છે. કોરોનાને અટકાવવાના ઉપાયો લાગૂ કરવાની સાથે સાથે નિયમોનું પાલન કરવાની અને વેક્સીન લેવાની પણ જરૂર છે.
કોરોના વાયરસ મામલે કેન્દ્ર સરકારે આપી ચેતવણી
કેન્દ્ર સરકારનું કહેવું છે કે કોરોના વાયરસ ફરીથી કરી એટેક કરી શકે છે. આ માટે તૈયારી કરવાની જરૂર છે. રાજ્યોના સહયોગથી રાષ્ટ્રીય સ્તર પર તૈયારી કરવી જોઈએ. આ સિવાય કોરોનાને અટકાવવાના ઉપાયોને લાગુ કરવા પડશે એમ વી કે પોલે કહ્યું હતું.
નીતિ આયોગના સભ્ય ડૉ. વી.કે. પૉલે ફગાવ્યા આરોપ
પોલે કહ્યું કે અમે વારંવાર ચેતવણી આપતા હતા કે કોરોનાની બીજી લહેર આવશે. અમે કોરોનાના નિયમોનું પાલન અને વેક્સિન લેવાની લોકોને અપીલ પણ કરી હતી. છતાં તે કહેર મચાવી રહી છે. હજુ પણ લોકોએ સતર્ક રહેવાની જરૂર છે અને કેન્દ્રએ ખાસ તૈયારી કરી લેવાની જરૂર છે. આ સમયે એમ કહેવું કે સરકાર બીજી લહેરની તીવ્રતાથી અજાણ હતી તે આરોપો અયોગ્ય છે. તેઓએ કહ્યું કે સીરો પોઝિટિવિટી 20 ટકા છે અને 80 ટકા આબાદી હજુ પણ જોખમમાં છે. વાયરસ ક્યાંય ગયો નથી. તે ફરીથી એટેક કરી શકે છે. તેઓએ કહયું કે અમે ડર ફેલાવ્યો નથી, અન્ય દેશના અનેક ઉચ્ચ સ્તરનો સામનો કર્યો છે. તેઓએ કહ્યું આ એક મહામારી છે. આ બીમારી પ્રાકૃતિક છે. તે ગામ સુધી પહોંચી ચૂકી છે.
મહામારીથી વિજ્ઞાન સારી રીતે અવગત છે. પોલે લોકોને ઉચિત રીતે વ્યવહારનું પાલન કરવાી અને વેક્સીનેશનને અપનાવવાની અપીલ કરી છે.