મુંબઇના બાંદ્રા સ્ટેશન પ્રવાસી મજૂરોને એકત્રિત થવાની ઘટના પર ગૃહ મંત્રી અમિત શાહે ચિંતા વ્યક્ત કરી. એમને કહ્યું કે આવી ઘટનાથી ભારતની કોરોના વિરુદ્ધ લડાઇ નબળી પડે છે. પ્રશાસને આવી ઘટનાઓથી બચવા સતર્ક રહેવું પડશે. ગૃહ મંત્રીએ ઉદ્ધવ ઠાકરેને કેન્દ્રને સમગ્ર મદદની વાત પણ કહી છે.
બાંદ્રા રેલવે સ્ટેશન પર એકત્રિત થયા હજારો મજૂરો
અમિત શાહે ઘટના પર ચિંતા વ્યક્ત કરી
મુંબઇના બાંદ્રાના સ્ટેશન પર ઉમટેલી ભીડને લઇને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે વાત કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર વાતચીત દરમિયાન ગૃહ મંત્રીને આ ઘટના પર ચિંતા વ્યક્ત કરી છે. એમને કહ્યું કે આવી ઘટનાઓથી ભારતની કોરોના વિરુદ્ધ લડાઇ નબળી છે. પ્રશાસને આવી ઘટનાઓને લઇને સતર્ક રહેવું પડશે. ગૃહ મંત્રીએ ઉદ્ધવ ઠાકરેને કેન્દ્ર સાથે પૂરી મદદ માટે વાત પણ કહી છે.
જણાવી દઇએ કે મુંબઇના બાંદ્રા સ્ટેશન પર પ્રવાસી મજૂરોની ભારે ભીડ જામી ગઇ હતી. આ તમામ મજૂરો ઘર જવા માટે સ્ટેશન પર પહોંચી ગયા હતા. મજૂરોને આશા હતી કે લૉકડાઉન ખતમ થઇ જશે. ભીડને હટાવવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો.
સ્થાનિક નેતાઓનું કહેવું છે કે લોકોને સમજાવવામાં આવ્યું છે કે એમને કોઇ સમસ્યા થશે નહીં અને બને એટલી મદદ કરવામાં આવશે. મહારાષ્ટ્રના ગૃહ મંત્રી અનિલ દેશમુખે કહ્યું કે મહારાષ્ટ્ર સરકાર આ મજૂરોના ખાવાની વ્યવસ્થા કરશે. અમે મજૂરોને સમજાવી રહ્યા છીએ કે એમની પરિસ્થિતિઓ સુધારવાના તમામ પ્રયત્ન કરીશું.
આદિત્ય ઠાકરેનું કેન્દ્ર સરકાર પર નિશાન
આ સમગ્ર ઘટના પર મહારાષ્ટ્ર સરકારના મંત્રી આદિત્ય ઠાકરેએ ટ્વિટ કર્યું અને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું. એમને કહ્યું કે બાંદ્રા સ્ટેશન પર વર્તમાન સ્થિતિ, મજૂરોને હટાવી દેવામાં આવ્યા. એમને કહ્યું કે સુરતમાં તાજેતરમાં મજૂરોએ દંગો કર્યો હતો. કેન્દ્ર સરકારે એમને ઘર પહોંચાડવા માટે નિર્ણય લઇ શકી નથી. પ્રવાસી મજૂર ખાવાનું અને શેલ્ટર નથી ઇચ્છતા, તેઓ ઘરે જવા ઇચ્છે છે.
The current situation at Bandra Station, now dispersed or even the rioting in Surat is a result of the Union Govt not being able to take a call on arranging a way back home for migrant labour. They don’t want food or shelter, they want to go back home
જણાવી દઇએ કે મુંબ્રામાં પણ બાંદ્રા જેવી ઘટના બની છે. અહીંયા મજૂરોની ભીડ જમા થઇ ગઇ છે. એમની માગણી હતી કે એમને ઘરે જવા દેવામાં આવે. કેટલાક મજૂરો તો ચાલીને જ જવા ઇચ્છતા હતા. પોલીસે એમને સમજાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ બાદમાં લાઠીચાર્જ કરવો પડ્યો.