દેશ કોરોના સંકટથી પસાર થઇ રહ્યો છે, લાંબા લોકડાઉન બાદ ધીમે ધીમે દેશને અનલોક કરવામાં આવી રહ્યો છે ત્યારે લોકડાઉન દરમિયાન લાખોની સંખ્યામાં પ્રવાસી શ્રમિકો પોતાના વતન પહોંચી ગયા છે. લોકડાઉનમાં ધંધો-રોજગાર બંધ થયા બાદ વતન આવેલા આ શ્રમિકોને નોકરી આપવી એ સરકાર માટે સૌથી મોટો પડકાર છે ત્યારે મોદી આ શ્રમિકોને રોજગાર પૂરો પાડવા મિશન મોડમાં આવી ગઈ છે. આટલું જ નહીં PMO આ કાર્યમાં સીધી નજર રાખી રહ્યું છે અને બે અઠવાડિયામાં બે સપ્તાહમાં યોજનાઓનો રિપોર્ટ PMO મોકલવા કહેવાયું છે.
ધંધો રોજગાર છોડીને વતન આવેલ પ્રવાસી શ્રમિકો માટે મેગા પ્લાન તૈયાર
દેશના કુલ 116 જિલ્લાઓની ઓળખ કરાઈ જ્યાં શ્રમિકો પરત આવ્યા
બે સપ્તાહમાં યોજનાઓનો રિપોર્ટ PMOમાં મોકલવા કહેવાયું
કેન્દ્ર સરકાર લોકડાઉનનાં કારણે ધંધો રોજગાર છોડીને વતન આવેલ પ્રવાસી શ્રમિકો માટે મેગા પ્લાન ઘડી રહી છે. દેશના મુખ્ય છ રાજ્યોનાં 116 જિલ્લાઓની ઓળખ કરવામ આવી છે જ્યાં લોકડાઉન દરમિયાન સૌથી વધુ પ્રવાસી શ્રમિકો પાછા આવ્યા છે.
પ્રવાસી શ્રમિકો માટે મેગાપ્લાન તૈયાર
સરકારે આવા પ્રવાસી શ્રમિકો માટે મેગા પ્લાન તૈયાર કર્યો છે. જે હેઠળ કોરોના લોકડાઉન દરમિયાન કરોડો પ્રવાસી શ્રમિકોના પુનર્વસન અને રોજગાર માટે મેગા પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. સરકારે જે 116 જિલ્લાઓની ઓળખ કરી છે તેમાં સોશિયલ વેલ્ફેર અને ડાયરેક્ટ બેનિફિટ સ્કીમ પર મિશન મોડમાં કામ કરવામાં આવશે. આ યોજનાંઓના માધ્યમથી વતન પરત આવેલા પ્રવાસી શ્રમિકોની આજીવિકા, રોજગાર અને સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં આવશે.
વિવિધ યોજનાઓ પર કરવામાં આવશે
આ જિલ્લાઓમાં મનરેગા, સ્કિલ ઇન્ડિયા, જનધન યોજનામાં મિશન મોડમાં કામ કરવામાં આવશે. આ સિવાય કિસાન કલ્યાણ યોજના,પીએમ આવાસ યોજના સહિતની યોજનામાં તેજી લાવવામાં આવશે. દેશની અર્થવ્યવસ્થાને કોરોના સંકટથી ઉગારવા માટે આત્મનિર્ભર પેકેજની જાહેરાત કરવામાં આવી છે ત્યારે તેનો લાભ પણ આ જિલ્લાઓને મળી રહે તેનું ખાસ ધ્યાન આપવામાં આવશે.
મંત્રાલયો PMOમાં મોકલશે રિપોર્ટ
આટલું જ નહીં દેશના વડાપ્રધાન પોતે આ મુદ્દે સીધી નજર રાખી રહ્યા છે. કેન્દ્ર સરકારે પોતાના બધા જ મંત્રાલયોને કહ્યું છે કે બે જ અઠવાડિયામાં આ જિલ્લાઓને ધ્યાનમાં રાખીને યોજનાઓનો પ્રસ્તાવ PMO મોકલવામાં આવે. નોંધનીય છે કે સરકારે નક્કી કરેલા જિલ્લાઓમાં સૌથી વધુ બિહાર અને યુપીના છે જ્યારે મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઝારખંડ અને ઓડીશાના જિલ્લાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.