ભારતમાં ત્રીજી લહેરનો પ્રકોપ હવે ખૂબ ઘટી રહ્યો છે. સતત બીજા દિવસે પણ કોરોના નવા કેસો 20 હજારથી ઓછા નોંધાયા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 16,051 નવા કોરોના કેસો આવ્યા અને 206 લોકોના મોત થયા છે.
દેશમાં કોરોનાની ત્રીજી લહેરોનો અંત
દિવસેને દિવસે ઘટી રહ્યા છે કેસ
આજે પણ 20 હજારથી ઓછા આવ્યા કેસ
ભારતમાં ત્રીજી લહેરનો પ્રકોપ હવે ખૂબ ઘટી રહ્યો છે. સતત બીજા દિવસે પણ કોરોના નવા કેસો 20 હજારથી ઓછા નોંધાયા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 16,051 નવા કોરોના કેસો આવ્યા અને 206 લોકોના મોત થયા છે. જ્યારે આ અગાઉના દિવસે એટલે કે ગઈ કાલે 19 હજાર 968 નવા કેસો આવ્યા હતા અને 673 લોકોના મોત થયા હતા. સારી વાત એ છે કે, છેલ્લા 24 કલાકમાં 37 હજાર 901 લોકો કોરોનાથી સાજા થઈ ગયા છે એટલે કે 22 હજાર એક્ટિવ કેસ ઓછા થઈ ગયા છે.
India registers 16,051 new COVID19 infections & 206 deaths in the last 24 hours: Active caseload stands at 2,02,131
કોરોના મહામારીની શરૂઆતથી લઈને અત્યાર સુધીમાં કુલ ચાર કરોડ 28 લાખ 38 હજાર 524 લોકો સંક્રમિત થઈ ચુક્યા છે. તેમાંથી 5 લાખ 12 હજાર લોકોના મોત થઈ ચુક્યા છે. અત્યાર સુધીમાં 4 કરોડ 21 લાખ 24 હજાર લોકો સાજા થઈ ચુક્યા છે. દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 3 લાખથી ઓછી છે. કુલ 2 લાખ 2 હજાર 131 લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે, જેમની સારવાર ચાલી રહી છે.
કોરોનાના કુલ કેસ- ચાર કરોડ 28 લાખ 38 હજાર 524
કુલ ડિસ્ચાર્જ- 4 કરોડ 21 લાખ 24 હજાર 284
કુલ એક્ટિવ કેસ- 2 લાખ 2 હજાર 131
કુલ મોત- 5 લાખ 12 હજાર 109
કુલ રસીકરણ- 175 કરોડ 46 લાખ 25 હજાર ડોઝ આપવામાં આવ્યા
175 કરોડથી વધારે ડોઝ આપવામા ંઆવ્યા
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, 20 ફેબ્રુઆરી 2022 સુધી દેશભરમાં 175 કરોડ 46 લાખ 25 હજાર કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવી ચુક્યા છે. ગત દિવસે 7 લાખ રસી લગાવામાં આવી. તો વળી આઈસીએમઆરના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં લગભગ 76 કરોડ કોરોના ટેસ્ટ કરવામાં આવી ચુક્યા છે. ગત દિવસે લગભગ 12 લાખ કોરોનાના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
દુનિયામાં ભારતનું સ્થાન 37મું
દેશમાં કોરોનાથી મૃત્યુદર 1.20 ટકા છે. જ્યારે રિકવરી રેટ 98.33 ટકા છે. એક્ટિવ કેસ 0.47 ટકા છે. કોરોના એક્ટિવ કેસ મામલામાં દુનિયામાં ભારત અત્યારે 35માં સ્થાન પર છે. કુલ સંક્રમિતોની સંખ્યાના મામલામાં ભારત બીજા સ્થાન પર છે. જ્યારે અમેરિકા, બ્રાઝિલ બાદ સૌથી વધારે મોત ભારતમાં થયા છે.