જનતા કર્ફ્યૂને સમગ્ર ગુજરાતમાં સારો પ્રતિસાદ મળ્યો છે. સમગ્ર દિવસ દરમિયાન તમામ જિલ્લાઓ સુમસાન જોવા મળ્યા. લોકો સ્વયંભૂ જનતા કર્ફ્યૂમાં જોડાયા. સાથે જ પ્રધાનમંત્રીની અપીલ મુજબ સાંજે પાંચ વાગે તમામ લોકો ઘરની ગેલેરી કે શેરીમાં આવ્યા હતા. ખાસ કરીને મહાનગરો અમદાવાદ, વડોદરા, રાજકોટ સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં લોકો મોટી સંખ્યામાં ઘરની ગેલેરી બહાર આવ્યા હતા. થાળી, ઢોલ તેમજ શંખનાદથી પોલીસ, તબીબ તેમજ સેવા કરનારા તમામ લોકોનો આભાર માન્યો હતો. ત્યારે મુખ્યમંત્રી, સિંગર, કલાકારો અને પીએમ મોદીના માતા દ્વારા પણ કર્મવીરોનું અભિવાદન કરાયું હતું.
કોરોના સામે જંગ
જનતા કર્ફ્યૂને મળ્યો સારો પ્રતિસાદ
મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ કર્મવીરોનું કર્યું અભિવાદન
કોરોના સામે લડવા સમગ્ર દેશ એક થઈ ચૂક્યો છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રીએ તાળી પાડીને અભિવાદન કર્યુ હતું. જનતા કર્ફ્યૂને CMએ આવકાર્યુ હતું. પત્ની અંજલિબેન રૂપાણી સાથે અભિવાદન કર્યું હતું.
ગાંધીનગર ખાતે કોરોનામાં ઓનડ્યુટી કરેલા લોકો માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હિરા બાએ થાળી વગાડીને અભિવાદન કર્યું હતું. હીરા બાની સાથે સમગ્ર સોસાયટીના લોકોએ થાલી વગાડી અભિવાદન કર્યુ હતું.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) March 22, 2020
ગુજરાતી ફિલ્મ સ્ટાર નરેશ કનોડિયાએ બનાવ્યો વીડિયો
વિશ્વભરમાં કોરોના વાયરસે સકંજો કસ્યો છે. ગુજરાત સહિત દેશભરમાં આજે જનતા કર્ફ્યૂ છે. ત્યારે કોરોનાને લઇ ગુજરાતી ફિલ્મ સ્ટાર નરેશ કનોડિયાએ એક વીડિયો બનાવ્યો છે. જેમાં તેઓ ઢોલ સાથે ભાગ કોરોના ભાગ નામથી ગીત ગાઇ રહ્યાં છે. ઢોલા-મારૂ ફિલ્મના ગીત પર નરેશ કનોડિયાએ આ ગીત બનાવ્યું છે.
વિશ્વભરમાં કોરોના વાયરસે સકંજો કસ્યો છે. ગુજરાત સહિત દેશભરમાં આજે જનતા કર્ફ્યૂ છે. ત્યારે કોરોનાને લઇ ગુજરાતી ફિલ્મ સ્ટાર નરેશ કનોડિયાએ એક વીડિયો બનાવ્યો છે. જેમાં તેઓ ઢોલ સાથે ભાગ કોરોના ભાગ નામથી ગીત ગાઇ રહ્યાં છે. ઢોલા-મારૂ ફિલ્મના ગીત પર નરેશ કનોડિયાએ આ ગીત બનાવ્યું છે. pic.twitter.com/jCIIY2G27P
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) March 22, 2020
હેમંત ચૌહાણ અને કિંજલ દવેએ કર્યું અભિવાદન
કર્મવીરોનું અભિવાદન કરવામાં લોક ગાયકો પણ પાછળ નથી. જાણીતા લોકગાયક હેમંત ચૌહાણ અને તેના પરિવારે પણ થાળી વગાડીને કોરોના જેવી આપતિ સમયે પોતાની ફરજ પર અડગ રહેલા લોકોનું અભિવાદન કર્યુ હતું. બીજી તરફ કિંજલ દવે અને તેના પરિવારે પણ અભિવાદન કર્યું હતું.
કર્મવીરોનું અભિવાદન કરવામાં લોક ગાયકો પણ પાછળ નથી. જાણીતા લોકગાયક હેમંત ચૌહાણ અને તેના પરિવારે પણ થાળી વગાડીને કોરોના જેવી આપતિ સમયે પોતાની ફરજ પર અડગ રહેલા લોકોનું અભિવાદન કર્યુ હતું. pic.twitter.com/oMbs6cZXtK
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) March 22, 2020
લોકસાહિત્ય કલાકાર માયાભાઈ આહિરે પણ પોતાના ઘરની બહાર આવીને શંખનાદ કર્યો હતો. તો તેમના પરિવારજનોએ તાળીઓ અને થાળી વગાડીને કર્મવીરોનું અભિવાદન કર્યું હતું.