કોરોના સંક્રમણની વચ્ચે બહારના દેશોથી મદદ લેવા માટે પોલિસીમાં કેટલાક ફેરફાર કરવા પડ્યા છે. ઈન્ડિયન એક્સપ્રેસના એક સરકારી સૂત્રોના હવાલાથી સામે આવ્યું છે કે હવે ચીનથી ઑક્સીજન સંબંધિત ઉપકરણો અને મેડિકલ સાધનો લેવામાં કોઈ સમસ્યા રહેશે નહીં. સૂત્રો અનુસાર પાકિસ્તાનથી મદદ લેવા માટે અત્યારે દિલ્હીની સરકાર તૈયાર નથી. આ સિવાય ઇંડિયન એક્સપ્રેસના સૂત્રોના દાવા અનુસાર રાજ્ય સરકારો પણ હવે વિદેશી એજન્સીઓથી જીવન રક્ષક ઉપકરણો ખરીદી શકશે અને તેમાં કેન્દ્ર સરકાર રસ્તામાં નહીં આવે.
મનમોહન સિંહના સમયમાં અપનાવવામાં આવી હતી પોલિસી
નોંધનીય છે કે 16 વર્ષ પહેલા મનમોહન સરકાર દ્વારા વિદેશી સ્ત્રોતોની મદદ ન લેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને ભારત એક ઊભરતી શક્તિ છે તેવું ભાર આપવામાં આવ્યું હતું. આટલું જ નહીં ગુજરાત ભૂકંપ અને બંગાળમાં ચક્રવાત જેવી આફત વખતે વિદેશથી મદદ લેવામાં આવી હતી. જોકે બાદમાં વર્ષ 2004માં સુનામી બાદ તે સમયના પ્રધાનમંત્રી મનમોહન સિંહે નિવેદન આપ્યું કે મને લાગે છે કે ભારત પોતાના દમ પર જ કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરી શકે છે અને જરૂર પડશે ત્યારે અમે જ મદદ કરીશું. તે સમયે ભારત સરકારની આ નીતિને ઐતિહાસિક ગણવામાં આવી હતી.
મનમોહન સિંહે નક્કી કહ્યું હતું કે અમે વિદેશી મદદ નહીં લઈએ અને તેમાં વર્ષ 2013માં ઉત્તરાખંડમાં ત્રાસદી આવી ત્યારે પણ મદદ લેવાથી ઇનકાર કરવામાં આવ્યો હતો. જોકે મોદી સરકારના કાર્યકાળમાં આવેલા કોરોના સંકટમાં હવે આ નીતિને બદલવામાં આવી છે.
આજે ઘણા બધા દેશો કરી રહ્યા છે મદદ
નોંધનીય છે કે હાલ કોરોના સંકટમાં પરિસ્થિતિ એટલી ભયાવહ થઈ છે કે ભૂટાનથી લઈને અમેરિકા સુધીના દેશોથી મદદ લેવામાં આવી રહી છે. નોંધનીય છે કે આ સમયમાં રશિયા, અમેરિકા, યુકે, જર્મની, ફ્રાંસ સહિતના ઘણા બધા દેશો મદદ કરી રહ્યા છે. આટલું જ નહીં ભારતના દુશ્મન દેશ ચીનથી પણ મદદ લેવામાં આવી છે.