હોસ્પિટલમાં દાખલ થઈ રહેલા કોરોનાના 90 ટકા દર્દીઓએ કોરોનાની રસીના માત્ર બે ડોઝ લીધા છે. તે જ સમયે, રસીના બૂસ્ટર ડોઝ પછી ફક્ત 10 ટકા દર્દીઓ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે.
રાજધાની દિલ્હીમાં કોરોના કેસોમાં વધારો
બૂસ્ટર ડોઝ ન લેનાર લોકો હોસ્પીટલમાં 90 ટકા
ત્રીજો ડોઝ લેનારા લોકોમાં કોરોના સંક્રમણ ઓછું
દેશભરમાં હજુ પણ કોરોના કેસ સામે આવી રહ્યા છે ત્યારે લોકોને હાલ બૂસ્ટર ડોઝ લેવાનું સરકાર કહી રહી છે. જે લોકો પહેલો અને બીજો ડોઝ લઇ ચુક્યા છે એ હાલ બુસ્ટર ડોઝ લઇ શકે છે. ત્યારે બુસ્ટર ડોઝને લઈને ઘણા નવા ખુલાસાઓ પણ સામે આવી રહ્યા છે વાત કરીએ દિલ્હીની તો, દિલ્હીમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. આ દરમિયાન હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓ અંગે નવો ખુલાસો કરવામાં આવ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે, હોસ્પિટલમાં દાખલ થઈ રહેલા કોરોનાના 90 ટકા દર્દીઓએ કોરોનાની રસીના માત્ર બે ડોઝ લીધા છે. તે જ સમયે, રસીના બૂસ્ટર ડોઝ પછી ફક્ત 10 ટકા દર્દીઓ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે.
દેશભરમાં કોરોના આંકડો
કોરોનાના આંકડાની વાત કરીએ તો દેશમાં છેલ્લા 24 કલાકમાં 9,062 કેસ મળી આવ્યા છે. આ સાથે જ 15,220 લોકો ઠીક પણ થયા છે. એક્ટિવ કેસ ઘટીને 1,05,058 થઈ ગયા છે. દૈનિક પોઝિટિવિટી રેટ પણ ઘટીને 2.49 ટકા થઈ ગયો છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટમાં ઘટાડો થયો છે, ત્યારે દિલ્હીમાં તે વધીને 20 ટકાની નજીક પહોંચી ગયો છે.
દિલ્હીમાં કોરોના કેસોમાં વધારો
છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં 917 કેસ મળી આવ્યા છે. અહીં 4775 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. રાજધાનીમાં 1566 દર્દીઓ સાજા થયા થયા છે. આ સાથે જ 3 લોકોએ જીવ ગુમાવ્યો છે. અહીં 5000થી વધુ દર્દીઓ હોમ આઈસોલેશનમાં છે. જ્યારે 563 લોકો હોસ્પિટલમાં દાખલ છે. રાષ્ટ્રીય રાજધાનીમાં કોવિડ -19 ના વધતા જતા કેસોની ચિંતા વચ્ચે દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાએ આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.
લોકોએ બેદરકારી દાખવી
ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ કહ્યું કે, તમામ હોસ્પિટલોને પણ એલર્ટ રહેવાનું કહેવામાં આવ્યું છે. જો કે હવે લોકોમાં બેદરકારી પણ જોવા મળી રહી છે અને ઘણા લોકો બુસ્ટર ડોઝ લેતા ન હોવાનું જોવા મળ્યું છે. પરંતુ હોસ્પિટલોમાં દાખલ કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યાએ બતાવ્યું છે કે ત્રીજો ડોઝ લેનારા લોકો કોરોના સંક્રમણ કરતા વધુ સુરક્ષિત છે.