ગુજરાતમાં કોરોના વાયરસના વધતાં કેસ વચ્ચે કોંગ્રેસે રૂપાણી સરકાર સામે બાંયો ચડાવી છે.
કોંગ્રેસના સરકાર પર આકરા પ્રહાર
હાઇકોર્ટની સુનાવણી બાદ કોંગ્રેસ બની આક્રમક
''સરકાર તમામ રીતે નિષ્ફળ ગઇ''
કોરોના મામલે હાઈકોર્ટમાં સુનાવણી બાદ કોંગ્રેસ બની આક્રમક
ગુજરાતમાં કોરોના વાયરસની બગડતીત પરિસ્થિતિ પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં હાઇકોર્ટે સરકારને જબરી તતડાવી છે. હાઇકોર્ટે કહ્યું છે કે તે સરકારના કામથી સંતુષ્ટ નથી ત્યારે હવે ગુજરાત કોંગ્રેસ પણ આ મામલે આક્રામક થઈ રહી છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી દર્દીઓના કામમાં આવે છે?: જયરાજ સિંહ
કોંગ્રેસે કહ્યું કે સરકાર જે આંકડા બતાવે છે તે ખોટા છે. સરકાર જાહેરાતો અને તાયફાઓ કરવામાં વ્યસ્ત છે અને અત્યારે જે સારવાર થઈ રહી છે તે કોંગ્રેસે બનાવેલી હોસ્પિટલમાં આપો છો. સિવિલ હોસ્પિટલ કોંગ્રેસે બનાવેલી છે, તમે શું બનાવ્યું? તમે બનાવેલા મહાત્મા મંદિર, રિવરફ્રન્ટ, દર્દીઓના કામમાં આવે છે? સ્ટેચ્યુ ઓફ યુનિટી દર્દીઓના કામમાં આવે છે?
ભાજપ પ્રદેશ અધ્યક્ષ દ્વારા પાંચ હજાર રેમડેસિવિર ઈંજેક્શન આપવાની જાહેરાત મુદ્દે જયરાજ રાજ સિંહે કહ્યું કે ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનરે ગુનો દાખલ કરવો જોઇએ. 5 હજાર ઇન્જેક્શન કયા આધારે આપ્યા? સુરતના ભાજપ કાર્યાલય પાસે ડ્રગ લાઇસન્સ છે? ભાજપે જરૂરિયાતમંદોના ભોગે 5 હજારનો જથ્થો ભેગો કર્યો. કરિયાણાની દુકાનમાં લૂંટ ચલાવી મફત જમણવાર કરાવું વ્યાજબી નથી.
સરકાર જે આંકડા બતાવે છે તે ખોટા છે: જયરાજ સિંહ
કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહે સરકાર પર નિશાન સાધતાં કહ્યું કે સરકારની કામગીરી અને સરકાર તમામ રીતે નિષ્ફળ ગઇ છે. સરકાર અત્યારે તૈયાર કેમ નથી તે સવાલનો જવાબ સરકાર પાસે ન હતો. રાજ્યમાં પૂરતા બેડ, ઓક્સિજન, વેન્ટિલેટર નથી, સરકારી હોસ્પિટલની સ્થિતિ ખુબ ખરાબ છે.