કોરોના વાયરસે ચીનમાં હાહાકાર મચાવ્યો છે. આ વાયરસને પગલે 500થી વધુ વેપારીઓએ શાંઘાઈમાં યોજાનારા ટ્રેડફેરમાં જવાનું મોકૂફ રાખ્યું છે. શી ફુડ ખાવાથી ફેલાઈ રહેલા આ વાયરસની હાલ કોઈ દવા નથી અને ચીનમાં તે ઝડપથી ફેલાઈ રહ્યો છે.
કોરોના વાયરસથી ભારતના વેપારી ભયભીત, ચીનનો પ્રવાસ કર્યો રદ્દ
500થી વધુ વેપારીઓએ પ્રવાસ કર્યો રદ્દ
શાંધાઈ ઇન્ટરડાઈ ટ્રેડ ફેરમાં જવાનું ટાળ્યું
ચીનમાં કોરોના વાયરસના કારણે ભારતના વેપારીઓ પણ ભયભીત છે. ગુજરાત સહિતના ભારતીય વેપારીઓએ કોરોના વાયરસના કારણે ચીનનો પ્રવાસ રદ્દ કર્યો છે. ઉલ્લેખનિય છે કે ભારતીના 80 ટકા વેપારીઓ ચીન વેપાર સાથે સંકળાયેલા છે. ચીનના શાંઘાઇ ટ્રેડ ફેરમાં આ વેપારીઓ જવાના હતા. જો કે હાલ ચીન કોરોના વાઇરસથી ગ્રસિત છે. આ કારણથી સાવચેતીના ભાગરૂપે ભારતના વેપારીઓએ ચીનનનો પ્રવાસ રદ્દ કર્યો છે
ચીનમાં કોરોનાએ મચાવ્યો છે હાહાકાર
ચીનમાં ઘાતક કોરોના વાઈરસની અસર સતત વધી રહી છે. દેશભરમાં આ વાયરસથી પ્રભાવિત 850 લોકોની ઓળખ કરવામાં આવી છે. આ ઉપરાંત 20 પ્રાંતના 1072 લોકો આ વાયરસથી પ્રભાવિત હોવાની આશંકા છે. કોરોના વાયરસના કારણે મૃત્યુ પામનારા લોકોની સંખ્યા વધીને 25 પર પહોંચી ગઈ છે.