સુરત શહેરમાં કોરોનાનો કહેર દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો છે ત્યારે આજે અહીં ભાજપના નેતાનું કોરોનાને કારણે નિધન થયું છે.
સુરત શહેરમાં કોરોનાનો કહેર યથાવત
ભાજપના ખજાનચી પ્રવીણ માળીનું કોરોનાથી નિધન
પ્રવીણ માળી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા
કોરોનાને કારણે ગુજરાતમાં અમદાવાદ સૌથી વધુ હાલત ખરાબ કોઈ અન્ય શહેરની હોય તો તે સુરતની છે. હીરનગરીથી હાલમાં એક એવા સમાચાર મળી રહ્યાં છે જે ત્યાંની ચિંતાજનક પરિસ્થિતિનો ચિતાર આપે છે.
પ્રવીણ માળીનું કોરોનાથી નિધન
ભાજપના ખજાનચી પ્રવિણ માળી કોરોનાગ્રસ્ત થયાં હતાં. જેમનું આજે કોરોનાને કારણે નિધન થતાં સુરત ભાજપમાં શોકનો માહોલ છવાયો હતો. પ્રવિણ માળી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતાં જ્યાં તેમનું આજે મોત નિપજ્યું હતું.
મનપા કર્મચારીનું પણ કોરોનાથી મોત
બીજી બાજુ સુરત મહાનગરપાલિકાના કર્મચારીનું પણ કોરોનાને કારણે મોત થયાના સમાચાર મળ્યાં છે. મનપા કર્મચારી હિતેન્દ્ર સુથાર જેઓ એક્ઝિક્યુટિવ એન્જિનિયર તરીકે ફરજ બજાવતા હતા તેમનું પણ આજે નિધન થયું હતું. સુરતમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે તે પરિસ્થિતિની સાબિતી આ સમાચાર આપી રહ્યાં છે.
સુરત અને અમદાવાદમાં કોરોના બેકાબૂ
ગુજરાતમાં રસીકરણની કામગીરી ચાલુ હોવા છતાં બીજી તરફ પરિસ્થિતિ બેફામ છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 1907 કેસ જ્યારે સુરત શહેરમાં 1174 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 295 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 261 કેસ, જ્યારે ગ્રામ્યમાં 120 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 503 કેસ અને ગ્રામ્યમાં 73 કેસ નોંધાયા છે.