2019ના અંત સુધી આખા વિશ્વમાં શાંતિ સ્થપાયેલી હતી અને લોકો નોર્મલ જીવન જીવી રહ્યાં હતા પરંતુ 2020 શરૂ થતા જ કોરોનાએ દરેક વ્યક્તિનું જીવન બદલી નાંખ્યું હતુ.
કોરોનાકાળમાં કપલ વચ્ચે આવ્યું અંતર
આવા લક્ષણ દેખાય તો થઇ જજો સાવધાન
હેલ્થને લઇને લોકો થયા છે સજાગ
કોરોનાના કારણે લોકો ઘરમાં ભરાઇ ગયા અને મહામારીએ ફાઇનાન્સિયલ અને પર્સનલ લાઇફ પર સૌથી વધારે અસર કરી અને લોકોના શારીરિક સંબંધો પર પણ ખુબ ખરાબ અસર કરી હતી.
આ લક્ષણ છે પરેશાનીનું કારણ
એક્સપર્ટ્સનું કહેવું છે કે કોરોનાએ લોકોના શારીરિક સંબંધો ખરાબ કરી દીધા છે. કોરોનાથી સાજા થયા બાદ શરીરમાં થાક, કમજોરી અને અન્ય બીમારીઓ આવવાની શરૂઆત થઇ જાય છે.
કપલમાં ખટરાગ
કોરોનાની ગંભીરતાને સમજતા મોટાભાગના લોકો વર્ક ફ્રોમ હોમ કરી રહ્યાં છે અને એકબીજા સાથે સમય વ્યતિત કરી રહ્યાં છે પરંતુ સેક્સોલોજીસ્ટનો દાવો છે કે કોરોનાકાળમાં કપલની અંગલ લાઇફ ડિસ્ટર્બ થઇ ગઇ છે.
ડરના કારણે અંગત લાઇફ પર પડી અસર
એક્સપર્ટનું માનવું છે કે કોરોના સંક્રમણના ડરથી લોકો પોતાના પાર્ટનર સાથે શારીરિક સંબંધો બનવવાથી કતરાઇ રહ્યાં છે. એક્સપર્ટ માને છે કે શારીરિક સંબંધ બનાવતી વખતે સંક્રમણનો શિકાર થવાના ડરથી દૂર રહે છે.
આ છે મહત્વનું કારણ
એક રિપોર્ટ અનુસાર સેક્સ્યુઅલ રિસપોન્સ, ઉત્તેજના અને કામોત્તેજના પર કામનો બોજ, બદલાતી લાઇફસ્ટાઇલ, ડર, તણાવ, વગેરે અસર કરે છે.
વેક્સિનને લઇને અફવા
કોરોના વેક્સિનને લઇને અફવા આવી હતી કે વેક્સિન વ્યક્તિની કામેત્તેજના પર ખરાબ અસર કરે છે અને પ્રજનન ક્ષમતા પર પણ અસર કરે છે. બાદમાં મંત્રાલયે કહ્યું હતુ કે વેક્સિન સુરક્ષિત છે.