દિલ્હીમાં કોરોના વાયરસ (Coronavirus)ના સંક્રમણની સંખ્યા વધીને 500ને પાર પહોંચી ગઇ છે. આ દરમિયાન અરવિંદ કેજરીવાલે ભાજપના સાંસદ ગૌતમ ગંભીરને પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ (PPE) કિટ અપાવવાની અપીલ કરી છે. ગૌતમ ગંભીરે 50 લાખ રૂપિયાની આર્થિક મદદ કરી છે. તેના પર કેજરીવાલે કહ્યું કે અમને પૈસા નહીં પીપીઇની જરૂર છે.
ગૌતમ ગંભીરે 50 લાખ રૂપિયાની આર્થિક મદદ કરી છે
ગૌતમ ગંભીરે CM અરવિંદ કેજરીવાલને પત્ર લખી આર્થિક મદદ સ્વીકારવા કહ્યું હતું
દિલ્હીમાં કોરોના વાયરસના સંક્રમણના કુલ 503 કેસ નોંધાયા છે
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું, ગૌતમ જી, આપના પ્રસ્તાવ માટે આભાર. સમસ્યા પૈસાની નહીં, પરંતુ પીપીઇ કિટની ઉપલબ્ધતાની છે. જો આપ અમને તાત્કાલિક ક્યાંયથી (પીપીઇ) લાવવામાં મદદ કરશો તો અમે આભારી રહીશું. દિલ્હી સરકાર તેને ખરીદી લેશે, આભાર.
Gautam ji, thank u for ur offer. The problem is not of money but availability of PPE kits. We wud be grateful if u cud help us get them from somewhere immediately, Del govt will buy them. Thank u. https://t.co/YtFP4MjYo3
આ પહેલા બીજેપી સાંસદ ગૌતમ ગંભીરે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પત્ર લખ્યો હતો. તેમાં તેઓએ કહ્યું, આપે અને આપના ડેપ્યુટી સીએમએ કહ્યું હતું કે પૈસાની જરૂર છે પરંતુ મારા એમપી ફન્ડમાંથી 50 લાખ રૂપિયા મદદ કરવાની કોશિશ કરી. જોકે તેને હજુ સુધી સ્વીકાર કરાઇ નથી. હું ઇચ્છું છું કે સામાન્ય માણસોને કોઇપણ પ્રકારની સમસ્યાઓ ન થાય. તેથી પૈસા સ્વીકારો અને મેડિકલ ઇક્વિપમેન્ટની વ્યવસ્થા કરવામાં આવે.
CM @ArvindKejriwal & his Dy say funds are needed. Though their massive egos didn't allow them to take 50 L from my LAD fund earlier, I pledge 50 L more so that innocents don't suffer!
1 CR would at least solve urgent need for masks & PPE kits for days Hope they prioritize Delhi pic.twitter.com/b1ve6gkWOZ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા મુજબ, દિલ્હીમાં કોરોના વાયરસના સંક્રમણના કુલ 503 કેસ નોંધાયા છે. જ્યારે 18 લોકો કોરોના બીમારીથી મુક્ત થયા છે અને 7 લોકોના મોત થઇ ચૂક્યા છે. દિલ્હીમાં ગત 24 કલાકમાં 58 નવા કેસ નોંધાયા છે. દિલ્હીમાં કેન્સર હોસ્પિટલ, સર ગંગારામ, સરદાર પટેલ હોસ્પિટલ, દિલ્હી એમ્સ અને મોહલ્લા ક્લિનિકના ડૉક્ટર પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે.