ભારતમાં લોકડાઉનમાં છૂટ-છાટ મળ્યાં બાદ કોરોના વાયરસનો ગ્રાફ સતત વધી રહ્યો છે. જો કે સપ્ટમ્બેરના મધ્ય સુધીમાં આ ઝડપની ગતિમાં ઘટાડો જોવા મળી શકે છે. યૂનિયન હેલ્થ મિનિસ્ટ્રીના અધિકારીઓએ એક ગાણિતિક વિશ્લેષકની પેટર્ન પર આ અનુમાન લગાવામાં આવ્યું છે.
આ સર્વેમાં એવા સમયે સામે આવ્યો છે કે જ્યારે કોરોના સંક્રમિતોની સંખ્યા બિમારીથી રિકવર થઇ રહેલા દર્દીઓની લગભગ બરાબર છે. આ રિપોર્ટ અનુસાર આ મહામારી 100 ટકા સમાપ્ત થવાના દ્વાર પર પહોંચશે.
રિપોર્ટમાં જણાવામાં આવ્યું છે કે વાયરસના ટ્રાંસમિશનમાં થોડો ઘણો ફરક જરૂર પડ્યો છે. આ નિષ્કર્ષ સુધી પહોંચવા માટે સંશોધનકારોએ બેલી રિલેટિવ રિમૂવલ રેટ (BMRRR) એટલે કે બેલી મોડલનો ઉપયોગ કર્યો. આ દરમિયાન ભારતમાં 1 મેથી 19 મે સુધી સામે આવેલા કેસની તપાસ કરવામાં આવી.
આ શોધ ઓનલાઇન જર્નલ એપિડેમિયોલૉજી ઇન્ટરનેશનલમાં પ્રકાશિત થયો છે. આ અધ્યયનના લેખ ડો. અનિલ કુમાર, ડેપ્યુટી ડાયરેકટર જનરલ (પબ્લિક હેલ્થ) અને રૂપાલી રોય, ડેપ્યુટી આસિસ્ટેન્ટ ડાયરેકટર (હેલ્થ મિનિસ્ટ્રી) છે.
જો કે, સંશોધનકારોનું કહેવું છે કે આ પડાવને પાર કરવા માટે કેન્દ્ર, રાજ્ય અને જિલ્લા સ્તર પર પુરાવા આધિરીત નિર્ણય લેવાની જરૂરિયાત હશે. અહી સુધી પહોંચવા માટે ગાણિતિક મોડલિંગ ટૂલ ઘણું મહત્વપૂર્ણ સાબિત થઇ શકે છે.
આ સ્ટડીમાં એ પણ જણાવામાં આવ્યું છે કે ભારતમાં આ મહામારી 2 માર્ચથી શરુ થઇ હતી. ત્યાર બાદ અહીં કોવિડ-19ના કેસ ઝડપથી વધતાં જોવા મળ્યાં છે. સંશોધનકારોનું કહેવું છે કે આ ગાણિતિક મોડલ બિમારી ફેલાવાથી લઇને ક્લિનિક કેર, રિકવરી રેટ, ઇલાજથી પ્રભાવ અને ભવિષ્યમાં આવનારી વેક્સીન જેવા પરિબળો પર આધારિત છે.
રિપોર્ટમાં સંશોધનકારોએ કમ્યૂનિટી લેવલ પર સાર્વજનિક આરોગ્ય ઉપાયોની જરૂરિયાતની અનુભૂતિ કરી છે, જેમાં બફર ઝો અને કન્ટેનમેન્ટ ઝોન પણ સામેલ છે. આ શોધ દ્વારા સંકેત મળ્યાં કે પ્રાકૃતિક હોનારત, ગીચ વસ્તી અને આંતરરાષ્ટ્રીય ઘટનાનું આ મોડલ પર મહત્વપૂર્ણ પ્રભાવ થઇ શકે છે.
યૂનિયન મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેરના આંકડા જણાવે છે કે ભારતમાં કોરોના દર્દીઓની સંખ્યા 2 લાખ 46 હજારની ઉપર છે, જેમાં 1 લાખ 20 હજારથી વધારે કેસ હજુ પણ એક્ટિવ છે. જેમાંથી 6,900 થી વધારે લોકોના મૃત્યું થયા છે.
ભારતમાં અત્યાર સુધીમાં 1 લાખ 19 હજારથી વધારે દર્દી રિકવર થઇ પરત ફર્યાં છે. એક રિપોર્ટ અનુસાર અત્યાર સુધીમાં 24 કલાકમાં સૌથી વધારે 9,971 કોરોના પોઝિટિવ કેસો સામે આવ્યાં છે, જેમાં 287ના મૃત્યું થયા છે.