દેશમાં કોરોનાનો ખતરો વધી રહ્યો છે. અત્યાર સુધીમાં દેશમાં કુલ 478 કેસ નોંધાઈ ચુક્યા છે. 9 લોકો કોરોનાના કારણે જીવ ગુમાવી ચુક્યા છે. અનેક સારવાર હેઠળ છે. ત્યારે તંત્ર સતર્ક છે. લોકોને સતત ઘર બહાર ન નીકળવાની અપીલ કરી રહ્યું છે. કેન્દ્ર શાસિત પ્રદેશ અને રાજ્યો મળી કુલ 19 પ્રદેશોમાં લોકડાઉન કરાયા છે. 6 રાજ્યોને આંશિક લોકડાઉન કરાયા છે. તો ગુજરાતમાં હેરફેર કરતા વાહનો પર પ્રતિબંધ કરાયો છે. તો ગુજરાતના કેટલાક જિલ્લાઓ લોકડાઉન કરાયા છે.
કોરોના વાયરસના 30 પોઝિટિવ કેસ મળ્યા
વિદ્યાર્થીઓને લઇને સરકારનો મોટો નિર્ણય
રાજ્યમાં મુસાફરોની હેરફેર કરતા વાહનો પર પ્રતિબંધ
ગુજરાતમાં અત્યાર સુધીના કોરોનાના 30 પોઝિટિવ કેસ મળ્યા છે. અમદાવાદમાં આજે નવા 6 કેસ નોંધાયા છે અને કુલ 13 થયા છે. સુરતમાં કોરોના પોઝિટિવના 4 કેસ આજે કોઈ નવો કેસ નહીં. સુરતમાં રવિવારે કોરોનાથી એક મોત થયું હતું. વડોદરામાં આજે નવા 3 પોઝિટિવ કેસ, કુલ 6 થયા છે. ગાંધીનગરમાં આજે નવો એક પોઝિટિવ કેસ, કુલ 4 થયા છે. રાજકોટમાં કોરોનાનો આજે કોઈ નવો કેસ જોવા મળ્યો નથી. રાજકોટમાં હાલમાં 1 વ્યક્તિ કોરોના પોઝિટિવ સારવાર હેઠળ છે. કચ્છમાં આજે કોઈ નવો કેસ નહી, હાલ 1 વ્યક્તિ સારવાર હેઠળ છે. રાજ્યમાં હેરફેર કરતા વાહનો પર પ્રતિબંધ કરાયો છે. તો કેટલાક જિલ્લાઓ લોકડાઉન કરાયા છે.
રાજ્યમાં હેરફેર કરતા વાહનો પર પ્રતિબંધ
રાજ્યમાં મુસાફરોની હેરફેર કરતા વાહનો પર પ્રતિબંધ મુકાયો છે. 25 તારીખ સુધી રાજ્યમાં તમામ રિક્ષાઓ, ટેક્ષી, મેક્ષી, સ્ટેજ કેરેજ ચલાવવા પર પ્રતિબંધ મુકાયો છે. અમદાવાદમાં AMTS અને BRTS પર પ્રતિબંધ મુકાયો છે. તો રાજકોટમાં BRTS અને સીટી બસમાં પણ પ્રતિબંધ મુકાયો છે.
કયા કયા જિલ્લા લોકડાઉન
ગુજરાત 31મી તારીખ સુધી અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ગાંધીનગર, કચ્છ, ભાવનગર અને ભરૂચને લોકડાઉન કરાયા છે.
કયા કયા કલમ 144 લાગૂ કરવામાં આવી?
અમદાવાદ, ગાંધીનગર, ખેડા, મહેસાણા, પાટણ, જૂનાગઢ, વડોદરા, રાજકોટ, સુરત, ગીર સોમનાથ, કચ્છ, અરવલ્લી, દ્વારકા, પોરબંદર, ભાવનગર અને સુરેન્દ્રનગરમાં કલમ 144 લાગૂ કરવામાં આવી છે.
આવતીકાલે અમદાવાદ-ગાંધીનગરમાં ન્યૂઝપેપરની રાહ ના જોતા
24મી સવારથી અમદાવાદ અને ગાંધીનગરમાં ન્યૂઝપેપર બંધ રહશે. આ બે શહેરના લોકો ઓનલાઇન ન્યૂઝ વાંચી શકશે. કોરોના વાયરસને લઇ ફેરિયા એસોસિએશન દ્વારા ન્યૂઝ પેપર બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.
વિદ્યાર્થીઓને લઇને સરકારનો મોટો નિર્ણય
શિક્ષણ વિભાગે હાલ મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં ધોરણ 1થી 8માં વિદ્યાર્થીઓને ડીટેન્શન નીતિ આ વર્ષે લાગુ પડશે નહીં, તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપીને પાસ કરી દેવામાં આવશે. જોકે આવતા વર્ષથી ડીટેન્શન નીતિનો અમલ કરવાનો રહેશે. આજ રીતે ધોરણ 9 અને ધોરણ 11ના વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન આપવામાં આવશે.
ડોમેસ્ટીક ફ્લાઈટની ઉડાન રદ્દ
આવતીકાલથી દેશભરમાં ડોમેસ્ટીક ફ્લાઈટ પણ રદ કરી દેવાશે. કોરોના વાયરસની ગંભીરતાને ધ્યાને રાખી ડોમેસ્ટિક ફ્લાઈટ પણ બંધ કરી દેવાઈ છે. જો કે, કાર્ગો વિમાનની અવર-જવર ચાલુ રહેશે.
રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં લોકડાઉન કરાયા છે ત્યારે આ લોકડાઉન દરમિયાન શું ચાલુ રહેશે અને શું બંધ રહેશે ?