દેશભરમાં કોરોના વાયરસના સંક્રમિત કેસોનીં સંખ્યામાં સતત વધારો થતો જઇ રહ્યો છે. ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા ગુરુવારે (19 માર્ચ 2020) વધીને 186 થઇ છે.
જ્યારે ભારતમાં કોરોના વાયરસથી મૃત્યુ પામનારનીં સખ્યા અત્યાર સુધીમાં 4 લોકોના મોત થયા છે.
ભારતમાં કોરોના વાયરસથી મૃત્યુ પામનારનીં સખ્યા વધીને 4 થઇ
કોરોના વાયરસથી પંજાબમાં ચોથા વ્યક્તિનું મોત
દેશમાં કોરોના વાયરસથી વધુ એક મોત
ભારતમાં કોરોના વાયરસથી મૃત્યુ પામનારનીં સખ્યા વધીને 4 થઇ ગઇ છે. પંજાબમાં કોરોના વાયરસથી એક વ્યક્તિનું મોત થયું છે. કોરોના વાયરસથી પંજાબમાં ચોથા વ્યક્તિનું મોત થયું છે. ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા ગુરુવારે (19 માર્ચ 2020) વધીને 186 થઇ છે.
કોરોના વાયરસને પગલે કલબુર્ગીમાં 144 લાગુ
કોરોના વાયરસને પગલે કર્ણાટકના કલબુર્ગી જિલ્લામાં કલમ 144 લગાવી દેવાઇ છે. હવે કોઇપણ હાલતમાં લોકો એક જગ્યાએ એકઠા થઇ શકશે નહીં.
HCLના એક કર્મચારીનો રિપોર્ટ પોઝિટિવ
એચસીએલ (HCL) એ જણાવ્યું કે તેના નોઇડા સ્થિત ઓફિસમાં કાર્યરત એક કર્મચારીનો કોરોના વાયરસ પોઝિટિવ આવ્યો છે. વિદેશ યાત્રાથી પરત ફર્યા બાદ આ વ્યક્તિ સેલ્ફ આઇસોલેશનમાં હતો.
ભારતીય ઓલિમ્પિક સંઘના કર્મીઓને ઘરેથી કામ કરવા આદેશ
ભારતીય ઓલિમ્પિક સંઘના કર્મચારીઓને ઘરેથી કામ કરવાનો આદેશ અપાયો, BCCIનું મુંબઇ સ્થિત મુખ્યાલય પણ બંધ કરાયું.