પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના સંકટથી જંગ જીતવા માટે 20 લાખ કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કર્યા પછી બુધવારે એટલે કે આજે નિર્મલા સીતારમણે સેક્ટરના આધારિત પેકેજની જાહેરાત કરી છે. જોકે પૂર્વ વિત્ત મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમે આ પેકેજના નિરાશાજનક જણાવતા કહ્યુ કે, સરકારે માત્ર હેડલાઇનને ધ્યાન આપ્યુ છે પરંતુ પેજ તો ખાલી છે.
પૂર્વ વિત્ત મંત્રીએ કહ્યુ કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હેડલાઈન અને બ્લેન્ક પેજ (કોરો કાગળ) આપ્યો છે. હવે જોવાનું છે કે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ તે બ્લેક પેજ કેવી રીતે ભરે છે. અમે તેના પર વિશેષ નજર રાખી રહ્યા છીએ, જે અર્થતંત્રમાં ઠાલવવામાં આવશે.
ગરીબો માટે ઝટકો: પૂર્વ વિત્ત મંત્રી
પૂર્વ વિત્ત મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી.ચિદમ્બરમે બુધવારે વિત્ત મંત્રી નિર્મલા સીતારમણના ભાષણ અંગે પ્રતિક્રિયા આપી છે. તેમણે ક્યું કે નાણાં પ્રધાને આજે જે પણ કહ્યું તેમા લાખો ગરીબો, ભૂખ્યા અને આર્થિક રીતે નુકસાન પામેલા શ્રમિકો માટે કંઈ પણ નથી. તેઓ હજુ પણ ચાલીને તેમના રાજ્યોમાં જઈ રહ્યા છે.
ચિદમ્બરમે કહ્યું કે આ ભાષણથી શ્રમિકો, ગરીબોને ઝાટકો લાગ્યો છે. નીચલા વર્ગની અડધો અડધ વસ્તી સુધી રોકડ ટ્રાન્સફરનું કોઈ જ માધ્યમ નથી. 13 કરોડ પરિવારને નિરાધાર છોડવામાં આવી દીધા છે. બીજી બાજુ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું છે કે કેન્દ્રના ખાસ આર્થિક પેકેજ એક 'બિગ ઝીરો' છે. તેમા રાજ્યો માટે કંઈ પણ નથી.
'નિયમો અને શરતોની રાહ જોઇ રહ્યા છીએ'
પી ચિદમ્બરમે કહ્યુ કે, વિત્ત મંત્રીએ MSMEs માટે કેટલાક સમર્થનની જાહેરાત કરી, જોકે મારી નજર આ ઉપાય મોટા MSMEs (લગભગ 45 કરોડ MSMEs ) ના પક્ષમાં છે. મને લાગે છે કે ,6.3 કરોડ MSMEsને છોડી દેવામાં આવ્યુ છે. અમે નિયમો અને શરતો ની રાહ જોઇશું.