પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 22 માર્ચના રોજ જનતા કર્ફ્યુ લગાવવાની જાહેરાત કરી છે. આ દિવસે રાત્રે 12 વાગ્યાથી ત્યારપછીના રાત્રે 10 વાગ્યા સુધી કોઈ જ પેસેન્જર ટ્રેન નહીં દોડે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે મેલ અને એક્સપ્રેસ ટ્રેનો પણ સવારે 4 વાગે રોકી દેવામાં આવશે. આ સાથે જ ઉપનગરીય (લોકલ) ટ્રેન સેવાઓને ઘટાડીને લઘુત્તમ સ્તર પર લાવવામાં આવશે.
21/22 થી અડધી રાતથી પ્રારંભિત સ્ટેશનથી રવાના નહી થાય ટ્રેન
પહેલા જ દિવસે 7 કલાકની યાત્રા કરી ચૂકેલી ટ્રેનને છૂટ
રેલવે અધિકારીઓના જણાવ્યા પ્રમાણે જનતા કર્ફ્યુ સમયે કુલ 2400 યાત્રી ટ્રેન નહીં ચાલે. તેમા 1300 મેલ એક્સપ્રેસ ગાડી, પેસેન્જર ટ્રેન અને મોટી સંખ્યામાં ઉપનગરીય ટ્રેનોનો સમાવેશ થાય છે. કોરોના વાઈરસની સ્થિતિને ધ્યાનમાં રાખી, બિનજરૂરી યાત્રા અટકાવવા માટે રેલવે અગાઉથી 245 યાત્રી ટ્રેન રદ્દ કરી ચુકી છે.
Indian Railways: All passenger trains originating between midnight of March 21/22 to 2200 hours of March 22 shall not run. However, the passenger train services already on run at 0700 hours on the day will be allowed to run to the destinations. https://t.co/EUcOgOO3C8
મોદીએ કહ્યું, ‘‘આ રવિવારે 22 માર્ચના સવારે સાત વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી દરેક દેશવાસીઓને જનતા કર્ફ્યૂનો પાલન કરવો છે. તે દરમિયાન કોઇ પણ નાગરિક ઘરથી બહાર ન નિકળે. સોસાયટી કે રસ્તામાં ક્યાંય ન જાય. જરૂરી સેવાથી જોડાયેલા લોકોને તો જવું જ પડશે કારણ કે તેમની ફરજ હોય છે. 22 માર્ચના આપણો આ પ્રયાસ દેશહિતમાં એક મજબૂત પ્રયાસ સાબિત થશે.’’
વૃદ્ધોને ઘરની અંદર જ રહેવા કહ્યું
પ્રધાનમંત્રી મોદીએ સામાજીક રીતે અંતર રાખવાની વાત પર ભાર મુકતા કહ્યું કે આપણે દેશવાસીઓ આગામી કેટલાક સપ્તાહ સુધી ખૂબ જરૂરી ન હોય તો સાવચેતી રાખવી જરૂરી છે. 60 થી 65 વર્ષ અથવા તે ઉપરના ઉંમરના વૃદ્ધો ઘરમાં જ રહે. તેમણે એનસીસી, સ્પોર્ટ્સ સંગઠનો અને સામાજીક-સાંસ્કૃત્તિક સંસ્થાઓને પણ જાગૃત બનવા અપીલ કરી છે.