દેશભરમાં કોરોનાના વધતા કેસોએ જ્યાં માઝા મૂકી છે, ત્યાં રાજધાની દિલ્હીમાં આજે પણ રેકોર્ડબ્રેક કેસો આવતા સરકાર અને જનતાના શ્વાસ અધ્ધર થઇ ગયા છે.
કોરોનાના કેસો વધી રહ્યા છે
દિલ્હી અને મુંબઈની હાલત ગંભીર
દિન પ્રતિદિન નવા કેસોમાં આવી રહ્યો છે ભયંકર ઉછાળો
આજે દિલ્હીમાં 1515 નવા કેસ આવ્યા હતા, જેના લીધે એક્ટિવ કેસોની સંખ્યામાં પણ જબરદસ્ત વધારો નોંધાયો છે, આ કેસ પહેલા 500ની અંદર પહોંચી ગયા હતા, પરંતુ માર્ચ મહિનામાં જ આમાં 3500થી વધુનો વધારો નોંધાયો છે, અને આજે આ કેસોની સંખ્યા 5000થી પણ વધુ થઇ જવા પામી છે. એક્ટિવ કેસોની સંખ્યા 5497 જેટલી થઇ ચૂકી છે. જે 31 ડિસેમ્બર પછી સૌથી વધુ છે, અને 16 ડિસેમ્બર પછી આ પહેલી વાર છે, જ્યારે એક દિવસમાં આટલા કેસો નોંધાયા છે, મહત્વનું છે કે દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 1515 કેસ નોંધાયા છે.
મુંબઈમાં પણ કોરોના 'આઉટ ઓફ કંટ્રોલ'
આની વચ્ચે મહારાષ્ટ્રની રાજધાની મુંબઈની સ્થિતિએ પણ ઉદ્ધવ સરકાર અને કેન્દ્ર સરકારની ચિંતા વધારી દીધી છે. એકલા મુંબઈમાં જ આજે 5504 નવા કેસ નોંધાતા 75 દિવસમાં કેસ ડબલીંગનો રેટ નોંધાઈ રહ્યો છે. કોરોનાના નવા કેસોના લીધે આ બંને શહેરોમાં સંક્ર્મણ દર પણ વધી રહ્યો છે, જો કે રાહતની વાત એ છે કે મૃત્યુ દરમાં કેસોની સંખ્યા જેટલો વધારો થઇ રહ્યો નથી.
રાજધાનીની હાલત શું છે ?
દિલ્હીમાં એક્ટીવ કેસોની સંખ્યા 5000થી વધી ગઈ છે, જે 5497 છે, અને 31 ડિસેમ્બર 2020 પછી પહેલી વાર આટલી સંખ્યામાં એક્ટિવ કેસ નોંધાયા છે, રાજધાનીમાં હોમ આઇસોલેશનમાં રહેલા દર્દીઓનો આંકડો 2871 છે, અને એક્ટિવ કેસોની દર 0.84 ટકા છે અને રિકવરી રેટ 97.47 છે. મહત્વનું છે કે હવે દિલ્હીમાં કુલ કેસોની સંખ્યા 652742 થઇ ગઈ છે, જેમાં આજે 903 દર્દીઓ ડિસચાર્જ થતા સાજા થનારા લોકોની સંખ્યા 636267 થઇ ગઈ છે.
નોંધનીય છે કે છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં 89,836 સેમ્પલ ટેસ્ટિંગ કરાયા હતા, અને કુલ ટેસ્ટિંગનો આંકડો 1,41,46,299 થઇ ગયો છે, દિલ્હીમાં જો કે કોરોના હોટસ્પોટની સંખ્યા 1076 થઇ ગઈ છે.
શું છે મહારાષ્ટ્રમાં હાલત?
મહારાષ્ટ્રમાં ફરીથી કોરોના વાયરસનો ચેપ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. રાજ્યમાં મોટી સંખ્યામાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ જોવા મળી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 35,952 નવા કેસ નોંધાયા છે, રાજ્યમાં સંક્રમિત લોકોની કુલ સંખ્યા 26,00,833 થઈ ગઈ છે. રાજ્યના આરોગ્ય વિભાગે બુધવારે સાંજે આ માહિતી આપી હતી. વિભાગે જણાવ્યું હતું કે આ સમયગાળા દરમિયાન રાજ્યમાં કોરોના વાયરસને કારણે 111 લોકોનાં મોત નીપજ્યાં છે અને 20,444 લોકો ચેપમાંથી સાજા થયા છે, જેમને રજા આપવામાં આવી છે.
આ સાથે, રાજ્યમાં કોરોના વાયરસથી થતાં કુલ મોતની સંખ્યા અત્યાર સુધીમાં 53795 પર પહોંચી ગઈ છે, જ્યારે સંક્રમણથી સાજા થયેલા લોકોની સંખ્યા 22,83,037 થઈ ગઈ છે. રાજ્યના આરોગ્ય વિભાગે અહેવાલ આપ્યો છે કે મહારાષ્ટ્રમાં હાલમાં 2,62,685 સક્રિય કેસ છે. સાથે જ રિકવરી રેટ 87.78 ટકા છે અને મૃત્યુ દર 2.07 ટકા છે,