કોરોનાવાયરસમાં સામાન્ય રીતે તાવ, ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ અને ગળામાં દુખાવો જેવા લક્ષણો જોવા મળે છે, પરંતુ હવે ચેપગ્રસ્ત દર્દીઓમાં પાચનની સમસ્યાઓ પણ થઈ રહી છે.
દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે
પાચનની સમસ્યા પણ હવે કોરોનાનું લક્ષણ હોય શકે છે
પાચનની સમસ્યા રહેતી હોય તો કોરોના ટેસ્ટ કરવો
કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે
ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ થોડા દિવસોથી સતત વધી રહ્યું છે અને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રવિવારે જાહેર કરેલા આંકડા અનુસાર, 24 કલાકમાં દેશમાં 17073 લોકોને સંક્રમણ લાગ્યું હતું, જેના કારણે સક્રિય દર્દીઓની સંખ્યા 94420 થઈ ગઈ છે. કોરોનાથી સંક્રમિત દર્દીઓની વધતી સંખ્યાએ નિષ્ણાતોની ચિંતામાં વધારો કર્યો છે, કારણ કે છેલ્લા એક અઠવાડિયામાં મોટાભાગના કેસ સામે આવ્યા છે.
પાચનતંત્ર પર કોરોના કરે છે હુમલો
કોરોનાવાયરસના લક્ષણોમાં સામાન્ય રીતે ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ અને ગળામાં દુખાવો સાથે તાવ જેવા લક્ષણોનો સમાવેશ થાય છે. હવે કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓમાં પાચન સબંધિત લક્ષણો પણ હોઈ શકે છે. કેટલાક લોકોને ઝાડા અને અન્ય ગેસ્ટ્રોએન્ટસ્ટાઇનલ જેવા લક્ષણોનો અનુભવ થયો છે, જેમાં ફ્લૂ જેવા લક્ષણો નથી. જો કે કેટલાક કિસ્સામાં ઝાડા બાદ ફ્લૂના લક્ષણો જોવા મળી શકે છે.
પેટ સંબંધિત લક્ષણો જોવા મળે તો સાવધાન થઇ જાઓ
એક અહેવાલ અનુસાર કોવિડ-19 ના કેસોમાં મુખ્યત્વે શ્વસન લક્ષણો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે, પરંતુ શક્ય છે કે ઓછી તીવ્રતાવાળા કોરોના દર્દીઓ અજાણતાં પાચન સબંધી લક્ષણો સાથે અજાણ્યે કોરોના વાયરસ ફેલાવી રહ્યા હોય. આ કારણે નિષ્ણાતો સલાહ આપી રહ્યા છે કે જો તમને ઝાડા થઈ ગયા છે અને કોરોના વાયરસ હોવાની આશંકા છે, તો તરત જ ટેસ્ટ કરાવી લો. આ સાથે યોગ્ય કાળજીના પગલાં પણ લેવા જરૂરી છે.
રિસર્ચ શું કહે છે ?
અમેરિકન જર્નલ ઓફ ગેસ્ટ્રોએન્ટરોલોજીમાં પ્રકાશિત એક અભ્યાસ અનુસાર, હળવા લક્ષણોવાળા કોરોનાવાયરસથી સંક્રમિત 206 દર્દીઓમાંથી, 48 માં ફક્ત પાચન સંબંધીત લક્ષણો હતા અને અન્ય 69 માં પાચન અને શ્વસન બંને લક્ષણો હતા. અભ્યાસમાં એ પણ સામે આવ્યું છે કે, કુલ 117 લોકોમાંથી 19.4 ટકા લોકોને પહેલી વારના લક્ષણ તરીકે ઝાડા થયા હતા.
આ લક્ષણોને ધ્યનમાં લેજો
કોરોના વાયરસના વધતા સંક્રમણ વચ્ચે નિષ્ણાતોએ 3 લક્ષણોને લઈને સાવધાન રહેવાની સલાહ આપી છે. કોરોના સંક્રમિત દર્દીઓ ઝાડા ઉપરાંત ભૂખ ન લાગવી અને પેટમાં ભારે દુખાવાની ફરિયાદ રહે છે. નિષ્ણાતો કહે છે કે આ લક્ષણોને અવગણવાનું ભારે પડી શકે છે અને જો આ લક્ષણો દેખાય, તો તમારે તરત જ કોરોનાનું પરીક્ષણ કરાવવું જોઈએ.