કોરોના વાયરસ અને લૉકડાઉનને લઇને પીએમ મોદી આજે રાજકીય પાર્ટીઓના ફ્લોર લીડર્સ સાથે વાતચીત કરી છે. પીએમ મોદીએ બુધવારે યોજાયેલી સર્વપક્ષીય બેઠકમાં લૉકડાઉનને લઇને ચર્ચા કરી. સૂત્રો અનુસાર પીએમ મોદીએ કહ્યું કે કોરોના વાયરસ વિરુદ્ધ લાંબી લડાઇ લડવાની છે. તમામનું જીવન બચાવવું સરકારની પ્રાથમિકતા છે.
લૉકડાઉનને લઇને પીએમ મોદી આજે રાજકીય પાર્ટીઓના ફ્લોર લીડર્સ સાથે વાતચીત કરી
પીએમ મોદીએ કહ્યું કે કોરોના વાયરસ વિરુદ્ધ લાંબી લડાઇ લડવાની છે
પીએમ મોદીએ કહ્યું કે દેશમાં સ્થિતિ 'સામાજિક કટોકટી' સમાન છે. તેના માટે કડક નિર્ણય લેવાની જરૂર છે. આપણે સતત સાવધાન રહેવું જોઇએ. તેઓએ કહ્યું કે હું એકવાર ફરી તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરીશ.
કોરોના વાયરસ અને લૉકડાઉનને લઇને પીએમ મોદીએ આજે રાજકીય પાર્ટીઓના ફ્લોર લીડર્સ સાથે વાતચીત કરી. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પીએમ મોદીએ બીજેપી, કોંગ્રેસ, ડીએમકે, એઆઇએડીએમકે, ડીઆરએસ, સીપીઆઇએમ, ટીએમસી, શિવસેના, એનસીપી, અકાલી દલ, એલજેપી, જેડીયૂ, એસપી, બીએસપી, વાઇએસઆર કોંગ્રેસ અને બીજેડીના ફ્લોર લીડર્સ સાથે કોરોના વાયરસ સંકટ અને લૉકડાઉન પર વાતચીત કરી છે.
80 ટકા રાજકીય પાર્ટીઓ લૉકડાઉન વધારવાના પક્ષમાં છે. પીએમ મોદીએ કહ્યું કે તેઓને રાજ્યો તરફથી આ પ્રકારની માંગ કરાઇ રહી છે અને તેઓ યોગ્ય સમયે ચર્ચા કરીને નિર્ણય લેશે.
સર્વદળીય બેઠકમાં શામેલ LJP નેતા ચિરાગ પાસવાને કહ્યું કે તમામે લૉકડાઉને લઈને સૂચનો આપ્યા છે. જેમાંથી કેટલાંકે આંશિક રીતે હટાવવાના સૂચનો આપ્યાં છે જ્યારે કેટલાંકે લંબાવવાનું કહ્યું છે. પીએમ મોદીએ કહ્યું છે કે તેમની પાસે અત્યાર સુધી જેટલી જાણકારી આવી છે તેના આધારે તેઓ 11 એપ્રિલે તમામ CM સાથે એક વખત ચર્ચા કરશે.
સર્વદળીય બેઠકમાં આ માંગ પણ કરાઈ
પીએમ મોદી આજે રાજકીય પાર્ટીઓના ફ્લોર લીડર્સ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કરી હતી. આ બેઠકમાં વિપક્ષના ફ્લોર લીડર્સે પીએમ મોદી સામે 5 માંગ કરી છે. જેમા રાજ્ય એફઆરબીએમ નાણાકીય મર્યાદાને 3થી 5 ટકા કરવા, રાજ્યોને તેમની ચૂકવણી આપવા, રાહત પેકેજને જીડીપીના 1 ટકાથી વધારીને 5 ટકા કરવા, કોરોના ટેસ્ટને ફ્રી કરવા અને પીપીઇ સહિત તમામ મેડિકલ ઇક્વિપમેન્ટને ઉપલબ્ધ કરાવવાની માંગ કરી છે.