કોરોનાને માત આપનારા દર્દીઓમાં હવે એક નવી ચિંતા જન્મી છે. દર્દીની નસને બદલે ધમનીઓમાં લોહીના ગટ્ઠા જામી જવાનું સામે આવ્યું છે. જીવ બચાવવા માટે અંગોને પણ કાપવા પડી શકે છે.
30થી નાની ઉંમરના યુવાઓમાં વધી રહી છે ગંભીર સમસ્યા
ધમનીઓમાં લોહીના ગટ્ઠા જામી જવાની સમસ્યા મળી જોવા
90-95 ટકા દર્દીમાં સમયસર સારવારથી રાહત મળી શકે
સારવારમાં મોડું થાય તો અંગ કાપવું પડી શકે છે
કોરોનાને માત આપનારા દર્દીઓમાં હવે એક નવી ચિંતા જન્મી છે. દર્દીની નસને બદલે ધમનીઓમાં લોહીના ગટ્ઠા જામી જવાનું સામે આવ્યું છે. જીવ બચાવવા માટે અંગોને પણ કાપવા પડી શકે છે. આ સમસ્યાની સારવાર સમયસર કરી લેવાય તો દર્દીનો જીવ બચી શકે છે ્ને મોડું થાય તો શરીરના પ્રભાવિત અંગને કાપવા પડી શકે છે.
અહીં સામે આવી રહ્યા છે આ ગંભીર કેસ
મુંબઈના કોકિલાબેન હોસ્પિટલમાં કોરોના વાયરસના કારણે લોહીની નસોમાં લોહીના ગટ્ઠા જામવાના અનેક કેસ સામે આવ્યા છે. પરંતુ હવે ધમનીઓમા લોહી ક્લોટ થવાના કેસ આવી રહ્યા છે જેને ડોક્ટરી ભાષામાં આર્ટરિયલ થ્રોમ્બોસિસ કહેવાય છે. ધમનીમાં બ્લડ ક્લોટથી ગેંગરીનનો ખતરો રહે છે. રોગીનો જીવ બચાવવા માટે હાથ કે પગને પણ કાપવાની સમસ્યા આવી જાય છે.
શરીરને કેવી રીતે કરે છે અસર
આર્ટરીમાં ક્લોટથી અન્ય અંગોને પણ ખતરો રહે છે. હેરાન કરનારી વાત એ છે કે કોરોનાને માત આપ્યા બાદ લગભગ 2 અઠવાડિયામાં બ્લડ ક્લોટના કેસ સામે આવ્યા છે. ચિંતાજનક વાત એ છે કે આ તકલીફ યુવાઓમાં જોવા મળી રહી છે. તેમની ઉંમર 30 વર્ષથી નાની છે અને થોડી વધારે પણ હોઈ શકે છે. કોરોના બાદ બ્લેક ફંગસ અને હવે આર્ટરિયલ થ્રોમ્બોસિસ જીવન માટે મુશ્કેલી વધારી શકે છે. તેનું કારણ જાણવા માટે મુંબઈ, દિલ્હી, હૈદરાબાદ સહિત મોટા સેન્ટરના વેસ્ક્યુલર સર્જનની ટીમ કામ કરી રહી છે. શક્ય છે જુલાઈ બાદ સારા પરિણામ આવે.
બીજી લહેરમાં આ પ્રકારનો રોજનો એક કેસ
કોરોનાની પહેલી લહેરમાં 30 દિવસમાં 4-5 કેસ આવતા તો બીજી લહેરમાં રોજનો એક કેસ આવ્યો છે. હાથ અને પગની ધમનીમાં લોહી ક્લોટના કેસ વધી રહ્યા છે. બીજી લહેરમાં ધમનીમાં બ્લડ ક્લોટની ફરિયાદ બાદ હોસ્પિટલમાં પણ આ દર્દીની સંખ્યા ધીમે ધીમે વધી રહી છે.
ધમનીમાં લોહીના ક્લોટના લક્ષણો
પગમાં દર્દ જે સમયની સાથે વધતું જાય છે
આંગળી અને અંગૂઠા સુન્ન થઈ જવા
પગની ગતિશીલતા ઓછી કે બંધ થવી
ઓક્સીજનની આપૂર્તિ બંધ થવાથી શરીર પીળું થવું
તકલીફ વધતા રોગીની પલ્સ ન મળવી
શું કહે છે ડોક્ટર્સ
ડોક્ટર્સનું કહેવું છે કે અત્યાર સુધીમાં લગભગ 40 કેસ આવ્યા છે અને તેઓ હોસ્પિટલમાં એડમિટ છે. આ સાથે આ વિશે કંઈ પણ કહેવું કદાચ ઉતાવળ ભર્યું હોઈ સકે છે. સમયની સાથે તેની મુશ્કેલી વધે છે અને નસોમાં તેનો પ્રવાહ ઘટે છે. લોગીમાં રહેલા તત્વ અને તરલ પદાર્થ એકમેકથી અલગ થાય છે અને સાથે લોહીનો પ્રવાહ પણ પ્રભાવિત થાય છે. વ્યક્તિને તેનું નુકસાન દેખાવવા લાગે છે.અલ્ટ્રાસાઉન્ડ ટ્રીટમેન્ટથી તેની જાણકારી મળી રહે છે. પગમાં પેરિફેરલ એન્જિયોગ્રાફીથી લોહી જામવાની પ્રક્રિયા ઘટાડી શકાય છે અને થોડા સમય સુધી દવાઓ લેવાની રહે છે.
શા માટે બ્લડ ક્લોટ થવું છે જીવલેણ
ડોક્ટરનું કહેવું છે કે પગ કે શરીરના કોઈ પણ ભાગમાં લોહીના જામવાથી જીવનું જોખમ વધે છે. રોગીને ખાંસી કે છીંક આવે તો આ ક્લોટ હ્રદય સુધી પહોંચી શકે છે તેનાથી દર્દીનું અચાનક મોત થઈ શકે છે. ધમનીમાં લોહી જામ્યા બાદ સમયસર હોસ્પિટલ લઈ જવાથી અંગ કાપવાની સમસ્યાથી કદાચ રાહત મળી શકે છે.
નસમાં જ્યારે ઓક્સીજન પૂરતો હોય છે તો તેનો રંગ લાલ હોય છે અને ઓક્સીજન ઓછો હોય તો તે ભૂરી અને જાંબલી રંગની થવા લાગે છે. આ સિવાય ધમનીથી શુદ્ધ લોહી જેમાં ઓક્સીજન પૂરતો હોય છે તે શરીરના અંગ સુધી લઈ જઈને અંગને નુકસાન કરે છે. આ પછી લોહીમાં ઓક્સીજન ઘટે છે જેને ડિઓક્સીજિનેટેડ બ્લડ કહેવાય છે . આ નસોમાં થઈને હ્રદયમાં આવે છે.