પહેલાથી જ સંકટમાં ચાલી રહેલા ઑટો સેક્ટરને કોરોના વાયરસથી મોટો ઝટકો મળ્યો છે. જેમ જેમ દેશમાં કોરોના વાયરસ ફેલાઇ રહ્યો છે, ઑટો સેક્ટર માટે સંકટ ઘેરાતુ જઇ રહ્યું છે. વેચાણનો ગ્રાફ સતત ઘટતો જઇ રહ્યો છે.
સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ 31 માર્ચ 2020 બાદ બીએસ-4 ગાડીઓનું રજિસ્ટ્રેશન નહીં થાય
ઑટો ડીલર્સની પાસે મોટી સંખ્યામાં BS-4 ટૂ વ્હીલર અને ફોર વ્હીલરનો સ્ટોક છે
સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ 31 માર્ચ 2020 બાદ બીએસ-4 ગાડીઓનું રજિસ્ટ્રેશન નહીં થાય. પરંતુ ડીલર્સની પાસે મોટી સંખ્યામાં BS-4 ટૂ વ્હીલર અને ફોર વ્હીલરનો સ્ટોક છે. ઑટો ડીલર્સનું માનીએ તો તેમના શો રૂમમાં લોકો આવી રહ્યા નથી. જેને પગલે જે બીએસ-4 ગાડીઓની ઇનવેન્ટરી પડી છે, તે ખતમ થઇ રહી નથી.
ડીલર્સની પાસે ભારે સ્ટૉક
FADA મુજબ દેશભરમાં 8.35 લાખ ટૂ વ્હીલર્સનો સ્ટોક છે. જેમા લગભગ 4,600 કરોડ BS-IV ટૂ વ્હીલરનું વેચાણ બાકી છે.
નોંધનીય છે કે કોરોના વાયરસને કારણે લોકો ઘરમાંથી નીકળી રહ્યા નથી અને બીએસ-4 ગાડીઓના વેચાણ માટે હવે થોડાક જ દિવસ બાકી છે. ડીલર્સનું કહેવું છે કે સ્ટોક ખતમ કરવા માટે મોટી ઓફર પણ આપવામાં આવી રહી છે, તોપણ ગ્રાહકો શો રુમ સુધી પહોંચી રહ્યા નથી.
હવે સુપ્રીમ કોર્ટથી રાહતની માંગ
FADA મુજબ દેશભરમાં વાહનોનું વેચાણ 60-70 ટકા ઘટ્યું છે. ઘણા રાજ્યોએ ડીલરશિપ બંધ કરવાનો આદેશ પણ આપ્યો છે. જોકે, રાહત માટે FADA સુપ્રીમ કોર્ટ પહોંચ્યું છે અને બીએસ-4 વાહનોનું વેચાણ મે મહીના સુધી જારી રાખવાની અપીલ કરી છે.