દુનિયાભરમાં કોરોના વાયરસથી મૃત્યું પામનારની સંખ્યામાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. કોરોના વાયરસ (Coronavirus)થી દુનિયાભરમાં 9,000 થી વધારે લોકોના મોત થઇ ચૂક્યા છે. ડબલ્યૂએચઓના ડાયરેક્ટર જનરલે કોરોના વાયરસથી સંક્રમિત લોકોની જાણકારી આપતા કહ્યું કે અત્યાર સુધીમાં દુનિયાભરમાં 2,10,000થી વધારે લોકોમાં કોરોના વાયરસ પોઝિટિવ આવ્યો છે. કોરોનાથી અત્યાર સુધીમાં 9,000 થી વધારે લોકોના મોત થઇ ચૂક્યા છે.
અમેરિકામાં કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે કેલિફોર્નિયા બાદ હવે ન્યૂયોર્ક અને ઇલિનૉયસમાં પણ લોકોના આવવા-જવા પર અને અન્ય ગતિવિધિઓ પર પ્રતિબંધ લગાવી દેવાયો છે.
તુર્કીમાં 5ના મોત
તુર્કીમાં કોરોના વાયરસથી વધુ 5 લોકોના મોત થયા છે. આ સાથે કુલ મૃત્યુઆંક 9 પર પહોંચ્યો.
UAEમાં બે લોકોના મોત
UAEમાં કોરોના વાયરસથી શુક્રવારે બે લોકોના મોત થઇ ગયા. અબૂધાબીમાં અત્યાર સુધીમાં 140 લોકોના સંક્રમિત હોવાને પુષ્ટી અપાઇ છે. જ્યારે 31 સ્વસ્થ થઇ ગયા છે.
બ્રિટેને ઉઠાવ્યા મહત્વપૂર્ણ પગલા
લંડનમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પીએમ બોરિસ જૉનસને કેફે, પબ્સ, બાર, રેસ્ટોરન્ટ, નાઇટ કલ્બ, થિયેટર, સિનેમા, જિમ અને ખાવા-પીવાની જગ્યાઓ બંધ કરવાનું એલાન કર્યું. જ્યારે જરુરી સેવાઓ જારી રહેશે.
WHOએ યુવાનો માટે સંદેશ જારી કર્યો
ડબલ્યૂએચઓના ડાયરેક્ટર જનરલે યુવાનોએ સંદેશ આપતા કહ્યું કે આ વાયરસની ઝપેટમાં આવીને યુવાનોના જીવને પણ ખતરો હોઇ શકે છે. તેઓએ જાણકારી આપી છે કે વાયરસનું કેન્દ્ર બિંદૂ વુહાન શહેરથી કોઇ નવો કેસ સામે આવ્યો નથી. કોરોના સૌથી વધારે વૃદ્ધ લોકો માટે મોટી સમસ્યા બની રહ્યો છે.
પાકિસ્તાનમાં તમામ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ રદ્દ
પાકિસ્તાને 28 માર્ચ સુધી પોતાની તમામ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ રદ્દ કરી દીધી છે. પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સના પ્રવક્તા અબ્દુલ્લા ખાને કહ્યું કે પીઆઇએ 28 માર્ચ સુધી તમામ ફ્લાઇટ રદ્દ કરી દીધી છે.
દુનિયાની સૌથી સુરક્ષિત જગ્યાઓમાંથી એક અમેરિકી રાષ્ટ્રપ્રમુખના વ્હાઇટ હાઉસ સુધી કોરોના વાયરસ પહોંચી ગયો છે. અહીં એક અધિકારી કોરોના વાયરસ પોઝિટિવ જોવા મળ્યો છે.
આયરલેન્ડમાં કોરોના વાયરસના કેસીસમાં ઉછાળો
આયર્લેન્ડમાં કોરોનાવાયરસના કેસમાં તોતિંગ 52%નો ઉછાળો એક જ દિવસમાં નોંધાયો છે. અહી 366 કેસીસમાંથી હવે સંખ્યા 557 ઉપર પહોંચી ગઈ છે.
ઈટલીમાં 48 કલાકમાં 900 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે ઈટલીની સ્થિતિ ચીન કરતા પણ વધારે ખરાબ થઈ ગઈ છે. હાલ ઈરાનમાં મૃતક આંક 3405 થઈ ગયો છે. જ્યારે 41,035 લોકો કોરોના ગ્રસ્ત છે.
ઈટલીમાં ફસાયેલા ભારતીયોના બીજા ગ્રૃપને આજ અઠવાડિયે એરલિફ્ટ કરવામાં આવશે. વિદેશ મંત્રાલયની ઉચ્ચ સચિવ ડી. રવિએ કહ્યું કે 380 ભારતીયઓના સેમ્પલ લાવવામાં આવ્યા હતા. જેમાંથી ફક્ત 4 પોઝિટિવ છે. બાકીનાને પાછા લાવવાની તૈયારી ચાલી રહી છે.
સંયુક્ત રાષ્ટ્ર પ્રમુખે કહ્યું
સંયુક્ત રાષ્ટ્ર પ્રમુખના ગુરુવારેને વૈશ્વિક મહામારી કોરોના વાયરસને લઈને ચેતવણી આપવામાં આવી હતી. તેમણે કહ્યું કે કે કોરોના વાયરસને ફેલાતા રોકવામાં ન આવ્યો તો લાખો લોકો મરી શકે છે.
દુનિયાભરમાં 10, 048 લોકોના મોત
કોરોના વાયરસના કારણે અત્યાર સુધીમાં 10,050 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 245,888 લોકો કોરોના ગ્રસ્ત છે. જ્યારે કે 88, 437 લોકો સાજા થઈ ગયા છે. જેમાં યુરોપમાં મરનારાની સંખ્યા 4,134થી વધારે છે. એશિયામાં આ શંખ્યા 3416થી વધારે છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 712થી વધારો લોકોના મોત નિપજ્યા છે. તો બીજી તરફ કોરોનાગ્રસ્ત લોકોની સંખ્યા 10 048 થઈ ગઈ છે. યુરોપમાં આ બહું ઝડપથી ફેલાઈ રહ્યો છે.
ઈરાનમાં એક ભારતીય સહિત કુલ 1284ના મોત
કેન્દ્ર સરકારે ગુરુવારે એક ભારતીય નાગરિકના મોતની ખરાઈ કરી હતી. વિદેશ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતુ કે ઈરાનમાં લગભગ 590 ભારતીઓને પાછા લવાયા છે. જ્યારે બાકી બચેલા ભારતીયોમાંથી એક કોરોનાગ્રસ્ત ભારતીયનું મોત નિપજ્યું છે. અન્ય ભારતીયોની સારવાર ચાલું છે. ઈરાનમાં ગુરુવારે 149 લોકોના મોત થયા છે. તેમજ અહીં કોરોનાથી મરનારની સંખ્યા 1284થી વધુ થઈ ગઈ છે. જ્યારે અહીં કુલ 18407થી વધારે લોકો કોરોનાગ્રસ્ત છે.
સ્પેનમાં કોરોનાને કારણે 831 લોકોના મોત
કોરોના વાયરસના કારણે સ્પેનમાં અત્યાર સુધીમાં 831 લોકોના મોત થયા છે. જ્યારે કે 30 ટકા લોકોના મોત 24 કલાકમાં થયા છે.
બ્રિટનમાં એક વુદ્ધ શીખને ધક્કો મારી સુપરમાર્કેટની બહાર કાઢવામા આવ્યો
કોરોના વાયરસને લઈને બ્રિટનમાં એક શીખ સાથે અભદ્ર વ્યવહાર કરવામાં આવ્યો છે. આ ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. એક અજાણી વ્યક્તિ પૂર્વના લંડન સુપરમાર્કેટમાં ગયા હતા. જ્યાં માર્કેટના કર્મચારી તેને ધક્કો મારતા દેખાય છે. ત્યારે આ વીડિયો પર એક યુઝરે કહ્યું કે આ સમયે કોઈને અપમાનીત કરવાનો નથી. બ્રિટનમાં અત્યાર સુધીમા 104થી વધારે લોકોના મોત નિપજ્યા છે. જ્યારે અહીં સ્કૂલ કોલેજો બંધ કરવામાં આવી છે.
બ્રેગ્જિટના વાર્તાકાર બાર્નિયર પણ કોરોનાગ્રસ્ત
યૂરોપીય સંધે બ્રેગ્જિટના વાર્તાકાર મિશેલ બાર્નિયર પણ કોરોના વાયરસની અસર હેઠળ. તેમણે પોતાને કોરોના હોવાની જાણકારી આપી.
પાકિસ્તાનમાં 2 મોત, કોરોના ગ્રસ્તની સંખ્યા 454 થઈ
પાકિસ્તાનમાં કોરોના વાયરસના કારણે 2 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 454 લોકો કોરોના ગ્રસ્ત છે. પાકિસ્તાન આર્મી દ્વારા લોકોને મેડિકલ સુવિધાઓ આપવામાં આવશે.
ઈરાનમાં ભારતીઓને મદદ આપવામાં આવી રહી છે
ઈરાનમાં ભારતીય દૂતાવાસે કહ્યું છે કે , સ્થાનીય સ્વાસ્થ્ય અધિકારીઓના સહકારથી હાજર કોરોના ગ્રસ્ત ભારતીય પ્રવાસીઓને 24 કલાક સારસંભાળ આપવામાં આવી રહી છે. પ્રવાસીઓને સ્વચ્છ અને સારી સુવિધા અપાઈ રહી છે. પહેલાના 2 અને 8 હાલમાં ભારતીયો પાર્ટ ટાઈમ ઈરાની દવાખાનામાં વોલેન્ટિયર સેવા આપી રહ્યા છે.
જાપાનના રાજાનો બ્રિટન પ્રવાસ રદ- બકિંધમ પેલેસ
જાપાનના રાજા આ વર્ષે વસંતમાં બ્રિટનના પ્રવાસે જવાની હતા. જે કોરોના વાયરસના કારણે રદ કરી દેવામાં આવ્યો છે. આ અંગેની જાહેરાત બકિંધમ પેલેસમાંથી ગુરુવારે કરવામાં આવી હતી. નવી તારીખ નક્કી કરી જાહેર કરવામાં આવશે.
યુએસએમાં કોરોના ગ્રસ્તની સંખ્યા 14,321એ પહોંચી
ન્યૂયોર્કમાં કોરોના ગ્રસ્તની સંખ્યા 10 હજારથી વધારે થઈ. ન્યૂયોર્ક ગવર્નર બિલ ડે બ્લાસિયોએ સંઘીય સરકારને કોરોનાની ગતિને ધીમી કરવા માટે ‘તત્કાલ હસ્તક્ષેપ’ માટે કહ્યું છે. અમેરિકામાં કોરોનાને કારણે 218ના મોત નિપજ્યા છે. જ્યારે નવા 532 કોરોના કેસ નોંધાતા અહીં કોરોના ગ્રસ્તની સંખ્યા 14 321 થઈ છે. અમેરિકાએ વીઝા સેવા બંધ કરી દિધી છે.
ચીનમાં કોઈ ચીની લોકોને કોરોના થયાના કેસ નહી
ચીનમાં ગુરુવારે પોતાના એક પણ નાગરિકને કોરોના થયો હોય એવો કેસ સામે આવ્યો નથી. પરંતુ વિદેશીઓમાં કોરોના થયાના 34 કેસ નોંધાયા છે. આ કેસ છેલ્લા બે અઠવાડિયા કરતા વધારે છે. હાલ ચીનમાં કોરોનાને લીધે 3, 248 લોકોના મોત થયા છે. જ્યારે 80,967 લોકો કોરોના ગ્રસ્ત છે. જ્યારે 71, 150 લોકો સાજા થઈ ગયા છે.
અમેરિકામાં 2 સાંસદ ને કોરોના પોઝિટિવ
અમેરિકી કોંગ્રેસના 2 સાંસદ મારિયો ડિયાજ- બલાર્ટ અને બેન મૈકએડમ્સ કોરોના વાયરસની ઝપેટમાં આવનારા પહેલા કોંગ્રેસી છે. બન્ને પોઝિટિવ આવ્યા છે.