ઈરાનમાં 250થી વધુ ગુજરાતીઓ ફસાયા ગયા છે. કોરોના વાઈરસને કારણે ફલાઇટ રદ થતાં ગુજરાતીઓ ફસાઇ ગયા છે. આ ફસાયેલા મોટાભાગના લોકો ઉમરગામ તાલુકાના છે. જે ઈરાનના ચિરું બંદરમાં ફસાયા છે.
ઈરાનમાં 250થી વધુ ગુજરાતીઓ ફસાયા
કોરોના વાઈરસને કારણે ફલાઇટ રદ થઇ
ફસાયેલા મોટાભાગના લોકો ઉમરગામના
ઈરાનમાં ફસાયેલા આ ભારતીયઓનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં એક વ્યક્તિ કહી રહ્યો છે કે, 'અમે અહીં ગુજરાત અને તમિલાનાડુના લોકો ફસાયા છીએ. અહીંથી અમે ભારત આવવા માંગીએ છીએ. કારણ કે અમે અહીં કોરોના વાયરસના કારણે ફસાયા છીએ. તમામ ફ્લાઇટ બંધ છે. અમારી પાસે કોઇ રસ્તો નથી. અમારે આવવું છે તે માટે તમારી મદદ જોઇએ છે. અહીં બધા ડરેલા છે. અમે ઈરાનના નાના ગામ ચિરું બંદરમાં 250થી વધુ લોકો ફસાયા છીએ. રાષ્ટ્રપતિને ફરિયાદ કરીએ. અમે લોકો શું કરીએ. ઘરના લોકો પણ ચિંતામાં છે. ઘરવાળાના ફોન પર ફોન આવી રહ્યા છે. અમારે લોકોને મદદ જોઇએ છે.'
મંત્રીએ કેન્દ્ર સરકારને જાણ કરી
આ અંગે રાજ્યના વન અને આદિજાતિ મંત્રીએ કેન્દ્ર સરકારને જાણ કરી છે. આ લોકોને વતન પરત લાવવા સરકાર સમક્ષ પરિવારજનો દ્વારા માંગ કરવામાં આવી છે. આ ફસાયેલા લોકો રોજીરોટી માટે ઈરાન ગયા હતાં.
વુહાન અને જાપાનમાં ફસાયેલા ભારતીયોને આજે પરત લવાયા
તો બીજી તરફ કોરાના વાયરસના હાહાકાર વચ્ચે આજે વુહાનમાં ફસાયેલા ભારતીયોને પરત લવાયા છે. વુહાન અને જાપાનમાંથી 195 ભારતીયોનું રેસ્ક્યુ કરાયું છે. 41 વિદેશી નાગરિકોને પણ વુહાનમાંથી પરત લવાયા છે. અત્યાર સુધી કુલ 842 ભારતીયો અને 48 વિદેશીઓને લવાયા છે. વુહાનથી લવાયેલા ભારતીયોને વિશેષ દેખરેખ હેઠળ રખાયા છે. અત્યાર સુધી ચીનમાં કોરોનાથી 2744 જેટલા મોત થયા છે. એપ્રિલ માસ સુધી કોરોના પર કાબૂ મેળવવાનો ચીનનો દાવો છે.
કોરોના વાયરસથી વિશ્વમાં કુલ 2814 લોકોના મોત
અત્રે ઉલ્લેખનીય છે કે, ચીન દેશમાં કોરોના વાયરસનો કહેર ફેલાયો છે. ચીનમાં આજે વધુ 32 લોકોના મોત થયા છે. કોરોના વાયરસથી ચીનમાં અત્યાર સુધીમાં 2747 લોકોના મોત થયા છે. દક્ષિમ કોરિયામાં પણ આજે વધુ 1 વ્યક્તિનુ મોત થયું છે. ઈટાલી દેશમાં કોરોના વાયરસથી આજે 2 વ્યક્તિના મોત છે. કોરોના વાયરસથી ઈરાનમાં આજે વધુ 7 વ્યક્તિના મોત થયા છે. જાપાન દેશમાં આજે કોરોના વાયરસથી 1 વ્યક્તિનુ મોત થયું છે. કોરોના વાયરસથી વિશ્વમાં કુલ 2814 લોકોના મોત થયા છે.