કોરોનાને લઇ વૃદ્ધો માટે રાહતના સમાચાર આવ્યા છે. જેમાં કહેવાયું છે કે આગામી મહિનાથી વૃદ્ધોને કોરોનાની વેક્સિન લગાવાશે. તેમાં 50 વર્ષ અને તેથી વધુ ઉમરના લોકોને વેક્સિન લગાવવામાં આવશે.
કોરોનાને લઇ વૃદ્ધો માટે રાહતના સમાચાર
50 વર્ષથી વધુની ઉમરના લોકોને લગાવાશે વેક્સિન
હાલ ફ્રન્ટલાઇન વર્કરોને અપાઇ રહી છે વેક્સિન
કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો.હર્ષવર્ધનનું નિવેદન
કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ કહ્યું છે કે આગામી મહિનાથી કોરોના વેક્સિનેશનનો ત્રીજો તબક્કો શરૂ કરવામાં આવશે. અત્યાર સુધીમાં 3 કરોડ સ્વાસ્થ્ય કર્મીઓ અને ફ્રન્ટલાઇન વર્કરોનું વેક્સિનેશન ચાલું કરાયું છે. જેમાંથી અત્યાર સુધી 50 લાખને પ્રથમ ડોઝ અપાઈ ચૂક્યો છે. હાલ દેશમાં કુલ સાત પ્રકારની વેક્સિન પર કામ ચાલી રહ્યું છે. ભારત અન્ય દેશોને પણ વેક્સિન આપી મદદ કરી રહ્યું છે. ભારતે અત્યાર સુધી ભારતે 15 દેશોને 56 લાખ વેક્સિનના ડોઝ આપ્યા છે.
पहले और दूसरे चरण में Health Workers और Frontline Workers का #vaccination होने के बाद तीसरे चरण का वैक्सीनेशन मार्च महीने के किसी भी हफ़्ते में शुरू होने की संभावना है। तीसरे चरण में 50 साल से अधिक उम्र वालों का वैक्सीनेशन किया जाएगा।@PMOIndia#BudgetSessionpic.twitter.com/JWcDmrhlaY
કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ કહ્યું કે દેશમાં કુલ 7 વેક્સિનનું કામ ચાલી રહ્યું છે જેમાંથી 3 વેક્સિનનું હ્યુમન ટ્રાયલ ચાલી રહ્યું છે. 2 વેક્સિનનું પશુઓ પર પરીક્ષણ ચાલી રહ્યું છે. આવનારા દિવસોમાં આ વેક્સિન પણ દેશને મળશે અને બજારમાં વેક્સિનની ઉપલબ્ધતા વધશે તો તેની સીધી અસર તેની કિંમત પર પણ થશે.
ભારતે અન્ય દેશોની પણ કરી મદદ
ભારત પોતાના નાગરિકોની સાથે સાથે અન્ય દેશની પણ મદદ કરી રહ્યું છે. 22 દેશોને કોરોનાની વેક્સિન આપશે જેમાંથી 15 દેશોને વેક્સિન અપાઈ ચૂકી છે.
મળતી માહિતી અનુસાર આવતા મહિનાથી 50 કે તેનાથી વધારે ઉંમરના લોકોને વેક્સીન મળશે અને સાથે જે લોકો પહેલાથી બીમાર છે તેમને પણ કોરોનાની વેક્સિન અપાશે. આ લોકોની પસંદગી કોવિડ એપની મદદથી કરાશે. માર્ચ મહિનાથી આ એપનો ઉપયોગ કરી શકાશે.