ગુજરાતની કંપની ઝાયડસ કેડિલાએ બનાવેલી કોરોના વેક્સિન ZyCoV-D માટે DCGI પાસે ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી માંગી છે. આ વેક્સિન બાળકોને પણ આપી શકાય તેવી રીતે તૈયાર કરાઈ છે.
વધુ એક સ્વદેશી વેક્સિન આવશે
ઈમરજન્સી યૂઝ માટે મગાઈ મંજૂરી
ઝાયડ્સની વેક્સિન છે સૌથી ખાસ
પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતા ઝાયડ્સના મેનેજિંગ ડાયરેક્ટરે જણાવ્યું હતું કે, ગુજરાતની ઝાયડ્સ કેડિલાની વેક્સિન ટૂંક સમયમાં આવશે. જેના ઉપયોગને લઈને સરકારે મંજૂરી માગવામાં આવી છે. આ રસી બાળકોને પણ આપી શકાય છે.
1000 બાળકો પર કરાયો અભ્યાસ
મેનેજિંગ ડાયરેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે, 1000 બાળકો પર અભ્યાસ કરવામાં આવ્યો છે જેના 2 અને 3 ડોઝના ડેટા રેગ્યુલેટરને સબમિટ કર્યા છે. આ સાથે જ તેમણે કહ્યું કે, 2 ડોઝ માટે પણ મંજૂરી મળવાની આશા છે અને વેક્સિન માટે નવો પ્લાન્ટ કાર્યરત કરાશે. જેમાં મહિનાના અંત સુધીમાં ઝાયડસ 10 થી 12 કરોડ ડોઝના ઉત્પાદનની ક્ષમતા કરી શકશે.
ભારતને આપીશું પ્રથમ ડોઝ
ઉલ્લેખનીય છે કે, કંપનીએ 400-500 કરોડનું રોકાણ કર્યું છે, જો કે, વેક્સિનની કિંમત અંગે હજુ સુધી કોઈ નિર્ણય નથી કરાયો. તો ઝાયડસે એવું પણ જણાવ્યું કે, અમે પ્રથમ ભારતમાં વેક્સિન આપીશું.
ત્રીજા ચરણનું પરીક્ષણ પૂર્ણ
ઝાયડસ કેડિલાની કોરોના વેક્સિન ZyCoV-Dનું ત્રીજા ચરણનું પરીક્ષણ થઈ ચૂકયું છે. 12થી 75 અને તેનાથી મોટી ઉંમરના તમામ લોકો પર ટ્રાયલ કર્યું છે અને આ રસી તમામ લોકો માટે અસરકારક છે. ભારતમાં કોઈ પણ વેક્સિનમાંથી આ વેક્સિનનો ટ્રાયલ અત્યારે સૌથી વધુ મોટો માનવામાં આવે છે. તેના જે પણ પરિણામો આવ્યા એ એકદમ સંતોષજનક આવ્યા છે. બીજી કોરોના લહેર દરમ્યાન જ દેશમાં 50 ક્લિનિકલ સાઇટ પર આનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેને ડેલ્ટા વેરિયન્ટ પર પણ અસરદાર માનવામાં આવે છે.
કઈ રીતે કામ કરે છે ZyCoV-D ?
ઝાયકોવ-ડી એક DNA-પ્લાઝ્મિડ વેક્સિન છે. આ વેક્સિન શરીરની ઈમ્યુનિટીને વધારવા માટે જેનેટિક મટીરિયલનો ઉપયોગ કરે છે. જે રીતે અમેરિકા સહિત અનેક દેશોમાં લાગી રહેલી ફાઈઝર અને મોડર્નાની વેક્સિન ઈમ્યુનિટી વધારવા માટે mRNAનો ઉપયોગ કરવામાં આવે છે, આમ આ પ્લાઝમિડ-DNAનો ઉપયોગ કરે છે. ઉલ્લેખનીય છે કે, mRNAને મેસેન્જર RNA પણ કહી શકાય, જે શરીરમાં જઈને કોરોના વાયરસ વિરુદ્ધ એન્ટિબોડી બનાવવાનો મેસેજ આપતું હોય છે.