સુપ્રીમ કોર્ટના આદેશને માનતા કેન્દ્ર સરકારે રસીકરણની નવી ગાઈડલાઈન જારી કરી છે.
21 જૂનથી આ નવી ગાઈડલાઈન લાગૂ થશે
પ્રાથમિકતાના આધાર પર સૌથી પહેલા આ લોકોને મળશે રસી
પ્રાઈવેટને મળશે 25 ટકા રસી
21 જૂનથી આ નવી ગાઈડલાઈન લાગૂ થશે
21 જૂનથી આ નવી ગાઈડલાઈન લાગૂ થશે. કેન્દ્ર સરકાર તરફથી રાજ્યોને ફ્રીમાં રસી ઉપલબ્ધ કરાવવામાં આવશે. કયા રાજ્યને કેટલી રસી મળશે તે રાજ્યની વસ્તી, કોરોનાના કેસ અને રસીકરણની સ્પીડના આધાર પર નિર્ભર કરશે. કેન્દ્ર સરકારના જણાવ્યાનુંસાર જે રાજ્યો રસી ઓછી વેડફે છે તેમને ઈન્સેન્ટિવ પણ આપવામાં આવશે.
પ્રાથમિકતાના આધાર પર સૌથી પહેલા આ લોકોને મળશે રસી
ગાઈડલાઈનમાં કહ્યુ છે કે પ્રાથમિકતાના આધાર પર સૌથી પહેલા હેલ્થ કેર વર્કર્સ, ફ્રન્ટ લાઈન વર્કર, 45થી ઉપરની ઉંમરના લોકોને રસી આપવામાં આવશે. જેમને બીજા ડોઝ લાગવાના છે તેમને પ્રાથમિકતા આપવામાં આવશે. નીતિ આયોગના સભ્ય ડો. વી. કે પોલે કહ્યુ કે અમારી પ્રાથમિક્તા હવે એ પણ છે કે 45 વર્ષથી વધારે ઉંમરના લોકોને વધારે રિસ્ક છે એટલા માટે તેમને બચાવવા અમારી પ્રાથમિકતા છે.
રસીકરણની પ્રાથમિકતા રાજ્ય સરકાર નક્કી કરી શકશે
18થી 44 વર્ષની ઉંમરના લોકોમાં કોને અને કેવી રીતે રસીમાં પ્રાથમિકતા આપવી છે તે આ રાજ્ય સરકાર નક્કી કરી શકે છે. ડો. પોલે કહ્યું કે રાજ્યોમાં રસી સપ્લાયની એડવાન્સ જાણકારી આપવામાં આવશે. ઓછામાં ઓછા એક મહિનાના સપ્લાય અંગે તેમને પહેલાથી જાણ કરી દેવામાં આવશે. જેથી તે સારી પ્લાનિંગ કરી શકે અને જિલ્લા અને રસીકરણ સેન્ટર સુધી જાણકારી પહોંચાડી શકે.
પ્રાઈવેટને મળશે આટલા ટકા રસી
ગાઈડલાઈનમાં કહેવામાં આવ્યુ છે કે કુલ રસી ઉત્પાદનના 75 ટકા કેન્દ્ર ખરીદ કરી રાજ્યોને ફ્રીમાં ઉપલબ્ધ કરાવશે. બચેલા 25 ટકા પ્રાઈવેટ હોસ્પિટલો ખરીદી શકશે. સાથે કહેવામાં આવ્યુ છે કે રાજ્ય પ્રાઈવેટ હોસ્પિટલની ક્ષમતા, તેમના આકારના હિસાબથી રસીની માંગ રાખશે અને કેન્દ્ર સપ્લાય સુનિશ્ચિત કરશે. નાના શહેરોમાં પ્રાઈવેટ હોસ્પિટલની ઉપરના 150 રુપિયા સર્વિસ ચાર્જ લઈ શકે છે. દરેક નાગરિકો ફ્રી રસીનો અધિકાર છે. કોઈ ઈચ્છે તો પોતાની મરજીથી પ્રાઈવેટ હોસ્પિટલમાં જઈને રસી લગાવી શકે છે.
30 ટકા રકમ પણ એડવાન્સમાં આપી
વીકે પોલે જણાવ્યું કે જે નવો 44 કરોડ વેક્સિનનો ઓર્ડર અપાયો છે તે પહેલેથી મેળવી લેવામાં આવેલી વેક્સિનની ડોઝથી અલગ છે. જુલાઈ સુધીમાં દેશને 53.6 કરોડ વેક્સિન મળશે. તેમણે કહ્યું કે ઓગસ્ટથી ડિસેમ્બર સુધી 44 કરોડ વેક્સિનનો સપ્લાય મળી જશે. તેમણે કહ્યું કે સિરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડીયા અને ભારત બાયોટેકને 30 ટકા રકમ પણ એડવાન્સમાં આપી દેવાઈ છે.