અમદાવાદના કલેકટરે જાહેરનામું બહાર પાડીને આદેશ આપ્યા છે કે જે વેપારીએ વેક્સિન ન લીધો હોય તેમણે RTPCRનો નેગેટિવ રિપોર્ટ પણ સાથે રાખવાનો રહેશે.
- અમદાવાદ કલેક્ટરનું જાહેરનામું : વેપાર માટે રસી લેવી ફરજીયાત
- પોલીસ માંગશે રસીનું સર્ટી નહીં તો દુકાન સીલ કરી દંડ કરાશે
- રસી લીધી નહી હોય તો RTPCR નેગેટિવ રિપોર્ટ જોડે રાખવો પડશે
- પાનના ગલ્લા, કીટલી, રિક્ષા-ટેક્સી ચાલક, ફેરિયાઓ સહિતના લોકો માટે નિયમો
ગુજરાત સહિત આખા દેશમાં કોરોના વાયરસની બીજી લહેર ચાલી રહી છે. મહામારીમાં હજારો લાખો પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે ત્યારે ભારતમાં હવેવે વેક્સિન આપવા માટે મોટું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે અમદાવાદમાં રસીકરણ માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
વેપાર કરવો હોય તો વેક્સિન ફરજિયાત
અમદાવાદમાં કોરોના વાયરસના વધતાં કેસ વચ્ચે કલેકટર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ શહેરમાં હવે વેપાર કરવો હશે તો વેક્સિન લેવી ફરજિયાત રહેશે. જૉ કોઈ વેપારીએ વેક્સિન નહીં લીધી હોય તો દુકાન બંધ કરીને દંડ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે. એક બાજુ જ્યાં આટલા દિવસોના પ્રતિબંધો બાદ ધીમે ધીમે વેપાર ધંધામાં છૂટછાટ આપવામાં આવી રહી છે ત્યાં વેક્સિન વગર વેપારને મંજૂરી ન મળતા વેપારીઓ મૂંઝવણમાં મૂકાયા છે.
RTPCR રિપોર્ટ સાથે રાખવો પડશે
અમદાવાદના કલેકટરે જાહેરનામું બહાર પાડીને આદેશ આપ્યા છે કે જે વેપારીએ વેક્સિન ન લીધો હોય તેમણે RTPCRનો નેગેટિવ રિપોર્ટ પણ સાથે રાખવાનો રહેશે. ગુજરાત સરકારે વેક્સિનેશન વધારવા માટે કમર કસી છે ત્યારે અમદાવાદ માટે આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. નિયમ અનુસાર અમદાવાદના વેપારી પાસેથી પોલીસ વેક્સિનનું સર્ટિફિકેટ માંગી શકે છે અને ન હોય તો કાર્યવાહી કરવામાં આવશે.