અમદાવાદમાં કોરોના વેક્સિનનું ટ્રાયલ કરાશે. ભારતમાં બનેલી કોરોના વેક્સિનનું ટ્રાયલ કરવમાં આવશે. 500 જેટલા વોલેન્ટિયર્સને એક મહિનામાં બે ડોઝ અપાશે. જેને પગલે સોલા સિવિલમાં રાઉન્ડ ધ ક્લોક સિક્યોરિટી ગોઠવવામાં આવી છે.
અમદાવાદમાં કોરોના વેક્સિનનું ટ્રાયલ કરાશે
ભારતમાં બનેલી કોરોના વેક્સિનનું ટ્રાયલ કરાશે
ભારત બાયોટેક દ્વારા કરાઇ રહ્યું છે વેક્સિનનું નિર્માણ
1 હજાર લોકો પર ત્રીજા ફેઝનું ટ્રાયલ કરશે
1 હજર લોકો પર થર્ડ ફેઝનું ટ્રાયલ કરવામાં આવશે જેમાં 18 થી 60 વર્ષની વ્યક્તિઓ વોલન્ટિયર્સ બની શકે છે. હેલ્થ વર્કર, દર્દીઓ અને અન્ય વ્યક્તિઓ પર કરાશે ટ્રાયલ.
અત્યાર સુધી 25 લોકોએ કરાવ્યું છે રજિસ્ટ્રેશન
પ્રતિદિન 20 લોકોને ડોઝ આપવામાં આવશે. આ અંગે અત્યાર સુધી 25 લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. રસીને ડીપફ્રીઝમાં માઈનસ 2થી8 ડિગ્રી ટેમ્પરેચરમાં રાખવામાં આવી છે. ક્લિનિકલ ટ્રાયલ
માટે 4 સભ્યોની કમિટી બનાવાઈ છે.
રસી લેનારે દર મહિને RT-PCR ટેસ્ટ ફરજિયાત કરાવવા પડશે. એક વર્ષ સુધી રેગ્યુલર ફોલોઅપ માટે આવવાનું રહેશે. અને વોલન્ટિયર્સને ટ્રાવેલ એલાઉન્સ પણ આપવામાં આવશે. આજે સવારે 10.00 વાગ્યાથી ટ્રાયલ શરૂ કરાશે.